________________
સર્વ દુઃખોનો નાશ કરી મોક્ષ સુખને પામે છે. અધ્યયન ત્રીજું ઃ આહારપરિજ્ઞા :- શરીરધારી સંસારના કોઈ પણ પ્રાણી આહાર વિના જીવી શકતા નથી. આહારના ત્રણ-ત્રણ ભેદ છે– સચેત, અચેત અને મિશ્ર આહાર અથવા ઓજ, રોમ અને પ્રક્ષેપ(કવલ) આહાર, અપર્યાપ્ત જીવોનો ઓજ આહાર, દેવ-નારકીનો રોમ આહાર અને પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોનો પ્રક્ષેપ આહાર છે.
આ અધ્યયનમાં બીજકાયથી પ્રારંભ કરીને પૃથ્વી, પાણી, તેલ, વાઉ અને ત્રસમાં પંચેન્દ્રિય જીવોમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના આહાર વિષયક ચર્ચા છે. અધ્યયન ચોથું પ્રત્યાખ્યાનક્રિયા:- પાપકર્મોથી મુક્ત થવા માટે ત્યાગ જરૂરી છે. કોરી આધ્યાત્મિક વાતોથી પરિપૂર્ણ લાભ થતો નથી. પાપકર્મોથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનો અર્થ છે– પાપકર્મોનો ત્યાગ કરવો. તે બે પ્રકારે થાય છે– દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્ય પ્રત્યાખ્યાન - વિધિ કે ઉદ્દેશ્ય વિના કોઈ દ્રવ્ય(વસ્તુ)ના પ્રત્યાખ્યાન લેવા, તે દ્રવ્યપ્રત્યાખ્યાન છે અથવા કોઈ દ્રવ્ય(વસ્તુ)ને મેળવવા માટે અન્ય વસ્તુ છોડવી, દા.ત. ધન મેળવવા(ધંધાના કામ માટે) ખાવા-પીવાની કોઈ વસ્તુનો ત્યાગ કરવો, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. (૨) ભાવ પ્રત્યાખ્યાન - આત્માની શુદ્ધિ થાય તે આશયથી વિધિપૂર્વક આહારાદિનો તેમજ પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોનો દેશતઃ કે સર્વતઃ ત્યાગ કરવો, તે ભાવ પ્રત્યાખ્યાન છે.
ક્રિયા એટલે પાપસ્થાનનો ત્યાગ કરવાની વિધિ. તીર્થકર કે ગુરુજનોની સાક્ષીએ વિધિપૂર્વક ત્યાગ કરવો, નિયમ સ્વીકારવો, મનથી સંકલ્પ કરવો, વચનથી “વોસિરામિ” બોલવું, કાયાથી તદનુકૂલ પ્રવર્તન કરવું. આ રીતે પ્રત્યાખ્યાન સાથે ક્રિયાનું જોડાણ થાય, ત્યારે જ તે સફળ બને છે. અધ્યયન પાચમ : આચાર શ્રત :- જે સાધક અનાચારને છોડી જ્ઞાનાચાર. દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારનું પાલન કરે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ મોક્ષમાર્ગને પામી શકે છે.
મોક્ષ માટે આચાર પાલન અનિવાર્ય હોવાથી આ અધ્યયનનું “આચારશ્રુત' નામ સાર્થક છે, પરંતુ અનાચારનું નિષેધાત્મકરૂપે વર્ણન હોવાથી આ અધ્યયનને અનાચાર શ્રુત” પણ કહી શકાય અને આ આચાર-અનાચારની વાતો મુનિઓ સાથે
1
52
-
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary