________________
[ ૧૭૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ :- = તીર્થકરની આગTV = આજ્ઞામાં તરિકંગ તરીને મહમવર્ષા = ભવરૂપી મહાન પ્રવાહવાળા. વાવ = આદન-ગ્રહણ કરવા યોગ્ય સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ધર્મને. ભાવાર્થ :- તત્ત્વદર્શી, કેવળજ્ઞાની ભગવાનની આજ્ઞાથી આ સમાધિયુક્ત-ધર્મને અંગીકાર કરીને તથા આ ધર્મમાં સમ્યક પ્રકારે સ્થિત થઈને ત્રણ કરણ અને ત્રણ યોગથી છકાય જીવોના રક્ષક બને છે અને મહાદુસ્તર સમુદ્ર જેવા સંસારસમુદ્રને પાર કરવા માટે મોક્ષ પ્રદાયક ચારિત્રરૂપધર્મનું નિરૂપણ કરે છે. – એમ હું કહું છું. વિવેચન :
અંતિમ ગાથા અધ્યયનના ઉપસંહાર રૂપ છે. અન્ય દાર્શનિકોના ભિન્ન-ભિન્ન અભિપ્રાયોને જોતાં સ્પષ્ટ થાય છે કે કેવળી પ્રરૂપિત ધર્મ જ શુદ્ધ અને સંપૂર્ણ છે. તેમાં જગતના સમસ્ત જીવોની કલ્યાણ કામના છે તેથી જ સાધકે વિવિધ તર્ક-વિતર્કને છોડીને કેવળી પ્રરૂપિત ધર્મનો સ્વીકાર કરીને તેમાં જ ઓતપ્રોત થવું જોઈએ. તે જ ધર્મ સ્વ-પરને માટે એકાંતે લાભદાયી છે.
તે છઠ્ઠું અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org