SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-s: આદ્રીય . [ ૧૬૯ ] ભાવાર્થ :- (આદ્રકમુનિ શાક્ય–બૌદ્ધ ભિક્ષુઓને કહે છે કે, આપના મતાનુયાયીઓ મોટા ઘેટાને મારીને ભિક્ષુઓના ભોજનના ઉદ્દેશ્યથી, તે ઘેટાનાં માંસને મીઠું અને તેલ નાંખી પકાવે અને પીપર આદિ મસાલાથી વઘારીને તૈયાર કરે, તો તે માંસ બૌદ્ધ ભિક્ષુઓના ભોજનને યોગ્ય માને છે. ઉપરોક્ત પ્રકારે તૈયાર કરેલા, માંસને અધિક માત્રામાં ખાવા છતાં ‘અમે કર્મરજથી લિપ્ત થતાં નથી', આ પ્રમાણે કહેનારા વ્યક્તિ અનાર્ય ધર્મી, અનાર્ય, અજ્ઞાની અને રસમાં ગૃદ્ધ છે । जे यावि भुंजंति तहप्पगारं, सेवंति पावमजाणमाणा । मणं ण एयं कुसला करेंति, वाया वि एसा बुइया उ मिच्छा ॥ શબ્દાર્થ:- વાયા = વાણી યુથ = કહેલી. ભાવાર્થ :- જે લોકો આ પ્રકારનાં માંસનું સેવન કરે છે, તે અજ્ઞાની પાપનું સેવન કરે છે, પરંતુ કુશળ પુરુષ (તત્ત્વજ્ઞાનમાં નિપુણ પુરુષ) આ પ્રકારના માંસને ખાવાની ઇચ્છા જ કરતા નથી તેમજ માંસ ભક્ષણમાં દોષ નથી, તેવા વચન પ્રયોગને પણ મિથ્યા માને છે. ૪૦ सव्वेसिं जीवाण दयट्ठयाए, सावज्जदोसं परिवज्जयंता । तस्संकिणो इसिणो णायपुत्ता, उद्दिभत्तं परिवज्जयंति ॥ શબ્દાર્થ :- = દયા કરવા માટે સવMલોસં = સાવધ દોષને વિનયત = ત્યાગ કરનારા, દમત્ત = મુનિઓના નિમિત્તે બનાવેલા આહારાદિ. ભાવાર્થ :- સર્વ જીવોની દયા માટે, સાવધ દોષોથી દૂર રહેનારા તથા પાપકર્મની આશંકા કરનારા, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો સાધુના નિમિત્તે આરંભ કરીને તૈયાર કરેલા ભોજનનો ત્યાગ કરે છે. ४१ भूयाभिसंकाए दुगुंछमाणा, सव्वेसिं पाणाणणिहाय दंडं । तम्हा ण भुंजति तहप्पगार, एसोणुधम्मो इह संजयाणं ॥ શબ્દાર્થ :- fખદીય = ત્યાગ કરીને જુથો = અનુધર્મ, તીર્થકર પરંપરાગત ધર્મ. ભાવાર્થઃ- જીવહિંસાની આશંકાથી સાવધ અનુષ્ઠાનથી વિરક્ત રહેનારા શ્રમણ નિગ્રંથો સર્વ પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરે છે, તેથી તેઓ દોષયુક્ત આહારાદિનો ઉપયોગ કરતા નથી, જિન શાસનમાં સંયમી સાધકોનો આ જ પરંપરાગત ધર્મ છે. ५ णिग्गंथधम्मम्मि इमं समाहिं, अस्सि सुठिच्चा अणिहे चरेज्जा। बुद्धे मुणी सीलगुणोववेए इच्चत्थयं पाउणइ सिलोगं ॥ શબ્દાર્થ –fથ ધfમ-નિગ્રંથ ધર્મમાં સુરિશ્વ =સ્થિત થઈને શીતળોવવેર = શીલગુણોથી યુક્ત શિi = શ્લાઘા(પ્રશંસા)ને. ફૂશ્વત્થä = આ લોકમાં. ભાવાર્થ :- આ નિગ્રંથ ધર્મમાં આહાર વિશુદ્ધિ રૂપ સમાધિમાં સમ્યક પ્રકારે સ્થિત થઈને, માયારહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy