________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
ભાવાર્થ :- કેટલાક અણગારો એક જ ભવ(જન્મ)માં સંસારનો અંત થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરે છે અર્થાતુ એક ભવાવતારી થાય છે. બીજા કેટલાક અણગારો પૂર્વકર્મો બાકી રહી જવાથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવલોક મહાન ઋદ્ધિવાળા, મહા ધુતિવાળા, મહાપરાક્રમ યુક્ત, મહાયશસ્વી, મહાન બળશાળી, મહાપ્રભાવશાળી અને મહાસુખદાયી છે. તેમાં ઉત્પન્ન થયેલા તે દેવ મહાઋદ્ધિ સંપન્ન, મહાતિસંપન્ન યાવતું મહાસુખસંપન્ન હોય છે. તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે, તેમની ભુજાઓમાં કડા, બાજુબંધ આદિ આભૂષણ પહેરેલાં હોય છે, ગાલ પર અંગદ અને કંડળ આદિ કાનના આભૂષણો લટકતાં રહે છે, હાથ વિધવિધ આભૂષણોથી યુક્ત રહે છે, મસ્તક પર વિવિધ માળાઓથી સુશોભિત મુગટ ધારણ કરે છે. તેઓ કલ્યાણકારી તથા સુગંધિત ઉત્તમ વસ્ત્રો પહેરે છે તથા કલ્યાણમયી શ્રેષ્ઠ માળા અને અંગલેપન ધારણ કરે છે. તેઓના શરીર તેજસ્વી રહે છે. તેઓ લાંબી વનમાળા ધારણ કરે છે. તેઓ પોતાના દિવ્ય રૂ૫, દિવ્ય વર્ણ, દિવ્યગંધ, દિવ્યસ્પર્શ, દિવ્ય સંહનન, દિવ્ય સંસ્થાન, તથા દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, પ્રભા, છાયા(કાંતિ), જ્યોતિ–તેજ અને વેશ્યાથી દસેય દિશાઓને પ્રકાશિત કરતા, ચમકાવતા કલ્યાણમયી ગતિ અને કલ્યાણમયી સ્થિતિવાળા તથા ભવિષ્યમાં પોતાનું કલ્યાણ કરનારા થાય છે.
આ બીજું સ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય યાવત સમસ્ત દુઃખોનો નાશ કરનારો માર્ગ છે. આ સ્થાન એકાંત સમ્યક તથા શ્રેષ્ઠ છે. આ રીતે બીજા સ્થાન રૂપે ધર્મપક્ષની વિચારણા છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ઉત્તમોત્તમ આચાર વિચારનિષ્ઠ નિગ્રંથ અણગારને ધર્મપક્ષવાળા દર્શાવીને તેના તપ-સંયમ સંબંધી મહત્ત્વપૂર્ણ વિવેચના કરવામાં આવી છે.
તે અણગારો સાધનાના પ્રારંભથી લઈને અંતિમ શ્વાસોશ્વાસ સુધી તપ, ત્યાગ અને સંયમ, અપ્રતિબદ્ધતા, વિવિધ તપશ્ચર્યા, વિવિધ અભિગ્રહયુક્ત ભિક્ષાચરી, આહાર-વિહારની ઉત્તમચર્યા, શરીર સંસ્કાર ત્યાગ, પરીષહોપસર્ગસહન તથા અંતિમ સમયમાં સંલેખનાપૂર્વક અનશનની આરાધના કરે છે. સુપરિણામ:- ધર્મપક્ષીય અણગાર ભગવંત પોતાની અંતર્મુખી જીવન ચર્યાના પરિણામે કર્મોનો ક્ષય કરીને (૧) કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થાય છે, (૨) કેટલાક સાધકો એકબવાવતારી થાય છે અર્થાત્ એક શરીર ધારણ કરી મોક્ષે જનારા હોય છે અને (૩) કેટલાક સાધકોના કર્મો શેષ રહી ગયા હોવાથી તે મહાદ્ધિ આદિથી સંપન્ન દેવતા થાય છે. આલિપત વ પ ડામવા :- દર્પણની જેમ પ્રગટ ભાવવાળા. પ્રસ્તુત સૂત્રની ચૂર્ણિમાં અણગારોને આપેલી ઉપમાઓનો પાઠ ઔપપાતિક સૂત્ર પ્રમાણે ગ્રહણ કરવાનો ઉલ્લેખ છે. તેમાં દર્પણની ઉપમા સહિત રર ઉપમાઓનું કથન છે. પ્રસ્તુત પાઠમાં લિપિ દોષ આદિ કોઈ પણ કારણથી દર્પણની એક ઉપમા છૂટી ગઈ હોય તેવી સંભાવના છે. ત્રીજું સ્થાન: મિશ્રપક્ષઃ વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિણામ:६० अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहाअप्पिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org