SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ). वा खंते ति वा दंते ति वा गुत्ते ति वा मुत्ते ति वा इसी ति वा मुणी ति वा कई ति वा विदू ति वा भिक्खू ति वा लूहे ति वा तीरट्ठी ति वा चरणकरणपारविउ त्ति बेमि। શબ્દાર્થ :- રણાવાવ = ગૃહવાસનો ત્યાગી ફરી= ઋષિ = કૃતિ નૂ = રુક્ષતારી = તીરાર્થી, કિનારે જવાની ઇચ્છાવાળા વરખવરાવાવઝ = ચરણ-કરણ પારવિદ્, મૂળગુણ-ઉત્તરગુણના પારને જાણનાર. ભાવાર્થ :- આ પ્રકારના ભિક્ષુ કર્મસ્વરૂપના પરિજ્ઞાતા, બાહ્ય-અત્યંતર સંબંધના પરિજ્ઞાતા, તથા ગૃહવાસના પરિજ્ઞાતા થઈ જાય છે. તે ઇન્દ્રિય અને મનના વિષયોનું ઉપશમન કરવાથી ઉપશાંત, પંચસમિતિઓથી યુક્ત, જ્ઞાનાદિથી યુક્ત અને સદૈવ સંયમમાં પ્રયત્નશીલ હોય છે. તે ભિક્ષુઓ કર્મક્ષય માટે શ્રમ કરતા હોવાથી શ્રમણ, પ્રાણીઓની હિંસા ન કરવાનો ઉપદેશ આપતા હોવાથી માહણ તેમજ બ્રહ્મચર્ય નિષ્ઠ હોવાથી બ્રાહ્મણ, ક્ષમાશીલ હોવાથી શાંત, ઇન્દ્રિય અને મનનું દમન કરતા હોવાથી દાંત, મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી રહિત હોવાથી ગુપ્ત, કર્મબંધના કારણોથી મુક્ત, વિશિષ્ટ તપશ્ચર્યાની આરાધના કરતા હોવાથી ત્રષિ, જગતની સૈકાલિક સ્થિતિનું મનન કરતા હોવાથી મુનિ, સત્કાર્યો કરતા હોવાથી કુતિ, વિધાસંપન્ન હોવાથી વિદ્વાન, ભિક્ષાચરીથી નિર્વાહ કરતા હોવાથી ભિક્ષુ, કોઈ પણ પદાર્થમાં સ્નેહ રૂપ આસક્તિ નહીં રાખતા હોવાથી તથા આંત-પ્રાંત આહાર ગ્રહણ કરતા હોવાથી રૂક્ષ, સંસાર સાગરને તરવાની કામના હોવાથી તીરાર્થી તથા મૂળ ગુણ-ઉત્તરગુણરૂપ ચરણ-કરણના પારગામી કહેવાય છે. તે પ્રમાણે હું કહું છું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નિગ્રંથ મુનિચર્યાનું વિસ્તૃત વર્ણન છે. તેમાં સહુ પ્રથમ અહિંસા ધર્મની સૈકાલિક શાશ્વતતાને સ્પષ્ટ કરી છે. - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના ત્રસ જીવો, આ છ એ પ્રકારના સંસારી જીવોમાં ગતિ, જાતિ, ઇન્દ્રિયાદિની અપેક્ષાએ વિભિન્નતા હોવા છતાં તે પ્રત્યેક જીવોનું ચેતન્ય તત્ત્વ એક સમાન છે. દરેક જીવો જીવન ઇચ્છે છે. મૃત્યુને ઇચ્છતા નથી, તેથી નાના કે મોટા કોઈ પણ જીવોની હિંસા ન કરવી તે જ જિનેશ્વરનો ધર્મ છે. ન હતધ્યા, માળા - જિનેશ્વર કથિત અહિંસા ધર્મમાં અહિંસાની વ્યાખ્યા વિસ્તૃત છે. જીવોને મારી નાખવા તે માત્ર હિંસા નથી, તે જીવોને પ્રાપ્ત થયેલી પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો નાશ કરવો તે પ્રાણાતિપાત-હિંસા છે તેથી જ તે જીવોને હણવા, આધીન બનાવવા, પકડી રાખવા, પરિતાપ પહોંચાડવા રૂપ પ્રવૃત્તિઓ પણ હિંસા જ છે. | સર્વ પ્રકારની હિંસાના ત્યાગ રૂપ અહિંસાધર્મ ત્રિકાલ શાશ્વત છે. નિગ્રંથ મુનિચર્યાના પ્રત્યેક નિયમોના પાલનનો મુખ્ય ઉદ્દેશ અહિંસાધર્મની આરાધના જ છે. આહાર વિધિ– અહિંસાધર્મની આરાધના કરતા મુનિ આધાકર્મી, ઔદેશિક આદિ ૪૨, ૪૭, ૯૬ દોષ રહિત આહાર ગ્રહણ કરે.(ગોચરીના દોષો સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી દશવૈકાલિક સૂત્ર) ગ્રહણ કરેલા પ્રાસુક, નિર્દોષ અને પ્રમાણોપેત આહારને રસેન્દ્રિયની આસક્તિ વિના માત્ર દેહ નિર્વાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy