________________
| ૪૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
છે. શ્રમણ-સાધુ માટે બનાવવામાં આવતો આહાર આધાકર્મી દોષથી દૂષિત કહેવાય છે અને તે આધાકર્મી આહારનો અંશ પણ શુદ્ધ આહારમાં મળેલો હોય તો તે પૂતિકર્મ દોષથી દૂષિત કહેવાય છે. પોતાના માટે બનાવેલ આહાર લેવો સાધુને કલ્પતો નથી પરંતુ શ્રદ્ધાવાન ભક્તો ક્યારેક સાધુને પૂતિકર્મ દોષયુક્ત આહાર આપવા પ્રયત્ન કરે છે. શાસ્ત્રકારે શ્રદ્ધાવાન વ્યક્તિ માટે 'સઢી' શબ્દપ્રયોગ કર્યો છે. સીમા તુમહિ – આ ગાથાપદ દ્વારા શાસ્ત્રકારે શ્રદ્ધાવાન ભક્ત દ્વારા આધાકર્મી, પૂર્તિકર્મ દોષયુક્ત આહાર આપવાનું સૂચન કરેલ છે. ચૂર્ણિકારે ભઠ્ઠીમાં તુનtrદય પદને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે. શ્રદ્ધા
आस्यास्तीति श्राद्धी, आगच्छंतीत्यागंतुकाः । तैः श्राद्धीभिरागंतूननुप्रेक्ष्य પ્રત્યુવક જેના હૃદયમાં સાધુજનો પ્રતિ શ્રદ્ધા હોય તે શ્રાદ્ધી કહેવાય છે. જે આવે છે તેને આગંતુક કહેવાય છે. આવેલા સાધુઓના ઉદ્દેશ્યથી, તેઓને આવેલા જાણી શ્રદ્ધાળુઓ આહાર તૈયાર કરે છે. બીજી રીતે અર્થ કરતા ચૂર્ણિકાર જણાવે છે કે- અથવા સરિ ને પત્તો વસંતિ તા-દિર છૂતશ્રિાદ્ધીનો અર્થ છે એક બાજુ રહેતા સાધકો તેમને ઉદ્દેશીને બનાવેલ આહાર. વૃત્તિકારે ગાથાપદને સ્પષ્ટ કરતા કહ્યું છે– શ્રદ્ધાવતા ચેન પામતાડપાન બાજુવાન ૩૨ હિત વેષ્ટિત નિષ્ણાતમ | ભક્તિવાન શ્રદ્ધાળુએ અન્ય આવેલા સાધકોને ઉદ્દેશીને, તેમના નિમિત્તે તૈયાર કરેલ આહાર. આવો આધાકર્મી આહાર તો સાધુ માટે સર્વથા વર્ય જ છે પરંતુ આધાકર્મી આહારનો એક કણ પણ અન્ય આહારમાં મળી ગયેલ હોય તેવા પૂર્તિકર્મ આહારનું સેવન કરે તો તેની બે પક્ષે સાધુતા છે, તે નથી સાધુ કે નથી ગૃહસ્થ છતાં તે ગૃહસ્થપક્ષનો સેવી કહેવાય છે. આવો પૂર્તિકર્મ દોષયુક્ત આહાર કોઈ ગૃહસ્થ હજારમાં ઘરે લઈ જઈ આપે તોપણ સાધુ તેને ગ્રહણ ન કરે. સદસંતરિવં મુંને – પૂર્તિકર્મ દોષયુક્ત આહાર સાધુ ગૃહસ્થને ત્યાંથી ગ્રહણ ન કરે અને તે ગૃહસ્થ તે આહાર આપવા અન્યના ઘેર લઈ જાય, હજાર ઘરનું અંતર રાખી, હજારમાં ઘેર લઈ જઈ આપવા ઈચ્છે તોપણ સાધુ તે ગ્રહણ ન કરે. ચૂર્ણિકાર તેનો અર્થ કરતાં જણાવે છે કે તપૂર્વશ્વમનાં આ જુવો ય સદસ્યતર૯ મુને કુપન ગામ પક્ષૌ દો લેવો . તે પૂર્તિકર્મદોષયુક્ત આહાર પહેલા કે પછી આવેલા આગન્તુક સાધુ, શ્રમણ હજારમાં ઘેર લઈ જઈ પછી તેનું સેવન કરે તો પણ તે દ્વિપક્ષનું સેવન કરે છે.
કુપર્વ વેવ સેવ:- બે પક્ષના ત્રણ પ્રકારે અર્થ આ પ્રમાણે થાય છે
(૧) સ્વપક્ષમાં તો આધાકર્મ આહારસેવનનો દોષ લાગે જ છે, તેની સાથે પૂર્તિકર્મ દોષ યુક્ત આહાર ગ્રહણથી ગુહસ્થ પક્ષના દોષનો પણ ભાગી તે થઈ જાય છે, તેથી સાધુ હોવા છતાં તે ગૃહસ્થની જેમ આરંભનો સમર્થક હોવાથી સાધુ અને ગૃહસ્થ એવા દ્વિપક્ષ સેવી છે.
(૨) ઈર્યાપથિકી અને સાંપરાયિકી બંને ક્રિયાઓનું સેવન કરવાને કારણે દ્વિપક્ષ સેવી થઈ જાય છે. આહાર લાવતી વખતે ઈર્યાપથિકી ક્રિયા લાગે છે અને દોષયુક્ત આહાર લેવા અને સેવન કરવાથી માયા અને લોભ બંને કષાયોના કારણે સાંપરાયિકી ક્રિયા પણ લાગે છે. (૩) દોષયુક્ત આહાર લેવાથી પહેલાં શિથિલરૂપે બાંધેલી કર્મ પ્રકૃતિઓને તે નિદ્યત્ત અને નિકાચિત રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org