________________
[ ૩૮૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
થઈ જાય છે. જે રીતે સૂર્યોદય થવાથી આંખ દ્વારા વ્યક્તિ ઘટપટ આદિ પદાર્થોને સ્પષ્ટ જાણી લે છે, તેવી જ રીતે તે શિષ્ય ધર્મને સ્પષ્ટ રૂપે જાણી લે છે.
उड्डे अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । १४
सया जए तेसु परिव्वएज्जा, मणप्पओसं अविकपमाणे ॥ શબ્દાર્થ :- સી ના પરિધ્વજ્ઞ = તેઓની હિંસા ન થઈ જાય તે રીતે યત્નપૂર્વક સંયમનું પાલન કરે, નખ અનિવપમ = તેઓ પ્રત્યે થોડો પણ દ્વેષ કર્યા વિના સંયમમાં નિશ્ચલ રહે. ભાવાર્થ :-ગુરુકુળવાસી તેમજ જિનવચનોનો સમ્યજ્ઞાતા સાધુ ઊંચી, નીચી અને તિરછી દિશાઓમાં જે કોઈપણ વ્યસ-સ્થાવર પ્રાણીઓ રહે છે, તેઓની હિંસા ન થાય, તેવી યતના રાખે તથા સંયમમાં પુરુષાર્થ કરે. તે પ્રાણીઓ પર લેશમાત્ર પણ દ્વેષ કર્યા વિના સંયમમાં નિશ્ચલ રહે.
कालेण पुच्छे समियं पयासु, आइक्खमाणो दवियस्स वित्तं । SS સં લોયારી ય પુદ્ધો પવે, સંસ્થા વેરિયં સમર્દ . શબ્દાર્થ :- પાસું સમિયં પુછે = સાધુ અવસર જોઈને જ્ઞાનદર્શન ચારિત્ર સંપન્ન આચાર્યને પ્રાણીઓના વિષયમાં પૂછે, નિયજ્ઞ વિત્ત આફGHTળો = સર્વજ્ઞના આગમને દર્શાવનારા આચાર્યને, સં સોયારા પુછો પરે = તથા આચાર્યની આજ્ઞાનો સ્વીકાર કરીને તેના ઉપદેશને હદયમાં સ્થાપિત કરે, મેં કવયિં સાહિં સંહા = આગળ કહેવામાં આવતાં કેવળીના સન્માર્ગને સારી રીતે સમજીને તેને હૃદયમાં ધારણ કરે.
ભાવાર્થ :- ગુરુકુલવાસી સાધુ પ્રશ્ન કરવા યોગ્ય અવસર જોઈ સમ્યગુજ્ઞાન સંપન્ન આચાર્યને પ્રાણીઓના સંબંધમાં પ્રશ્ન પૂછે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના આગમને બતાવનારા આચાર્યની પૂજા–ભક્તિ કરે. આચાર્યના આજ્ઞાકારી શિષ્ય તેમના દ્વારા ઉપદિષ્ટ, કેવલી પ્રરૂપિત સમ્યજ્ઞાનાદિરૂપ સમાધિને સારી રીતે જાણીને તેને હૃદયમાં સ્થાપિત કરે.
__ अस्सि सुठिच्चा तिविहेण तायी, एएसु या संति णिरोहमाहु ।
ते एवमक्खंति तिलोगदंसी, ण भुज्जमेयंतु पमायसंगं ॥ શબ્દાર્થ - સિં યુરિન્યા વિદ્યા તાયી = ગુરુએ જે ઉપદેશ આપ્યો છે તેમાં સારી રીતે નિવાસ કરતો સાધુ ત્રિવિધ મન, વચન, કાયાથી સર્વ પ્રાણીઓની રક્ષા કરે, પણ તુ યા નિ બિરોહમીદુ = સમિતિ અને ગુપ્તિના પાલનથી જ શાંતિ અને કર્મોનો નિરોધ–ક્ષય થાય છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે, તિનો વંલી તે વિમવંતિ = ત્રિલોકદર્શી તે પુરુષો એમ કહે છે કે, ન મુકામેચંતુ પનીયતા = સાધુએ ફરી ક્યારે ય પ્રમાદનો સંગ કરવો ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org