________________
૩
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
છે અને કપાયરહિત તે સુસાધક વીતરાગ પુરુષોની જેમ ઝંઝટ રહિત છે.
जे यावि अप्पं वसुमं ति मंता, संखाय वायं अपरिक्ख कुज्जा । ___ तवेण वा हं सहिए त्ति मंता, अण्णं जणं पस्सइ बिंबभूयं ॥ શબ્દાર્થ -વસુi = સંયમી અને જ્ઞાની, કરણ = પરીક્ષા કર્યા વિના જ, વિમૂયં = પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબની જેમ નિરર્થક ગણે છે. ભાવાર્થ :- જે પોતાને સંયમી,જ્ઞાની માનીને, પોતાની પરીક્ષા કર્યા વિના જ કોઈની સાથે વાદમાં ઊતરે અથવા પોતાની પ્રશંસા કરે કે હું મહાન તપસ્વી છું, આ પ્રકારના અભિમાનથી મત્ત બનેલ સાધુ અન્યને પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબની જેમ નિરર્થક-તુચ્છ સમજે છે.
एगंतकूडेण उ से पलेइ, ण विज्जइ मोणपयंसि गोत्ते ।
जे माणणद्वेणं विउक्कसेज्जा, वसुमण्णतरेण अबुज्झमाणे ॥ શબ્દાર્થ :- તે પ્રાંત જૂજ = પૂર્વોક્ત અહંકારી સાધુ એકાન્તરૂપે મોહમાં ફસાઈને, પત્તેઙ = સંસારમાં ભ્રમણ કરે છે, મોણપતિ નોરે વિજ = તે અભિમાની સંયમમાં અથવા સર્વજ્ઞના મતમાં નથી. મારે વિડદરા = જે માન પૂજા આદિ માટે પોતાના જ્ઞાન તપ આદિના વખાણ કરે, સન્માન પામીને મદ કરે છે, તે પણ સર્વજ્ઞ માર્ગના અનુગામી નથી, વસુમUUતરેખ અgફાવે = તે સંયમી હોવા છતાં અજ્ઞાની–મૂર્ખ છે. ભાવાર્થ :- અહંકારી સાધુ એકાંતે મોહયુક્ત બની સંસારમાં ભ્રમણ કરે છે. તે સર્વજ્ઞ પ્રણીત માર્ગના અનુગામી નથી. જે માન-સન્માન માટે પોતાના ગુણોની પ્રશંસા કરે છે તથા સંયમી હોવા છતાં પણ મૂર્ખ છે, પંડિત નહીં. - जे माहणे खत्तिय जाइए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा ।
जे पव्वइए परदत्तभोई, गोत्ते ण जे थब्भइ माणबद्धे । શબ્દાર્થ ત પુરે = જે ઉગ્ર પુત્ર છે, તદ છઠ્ઠ ના = તેમજ જે લેચ્છક (લિચ્છવી) એટલે કે ક્ષત્રિય વિશેષ છે, જે પધ્વરૂપ પત્તોડું = જે દીક્ષા લઈને બીજા દ્વારા આપેલો આહાર કરે છે, જે માણબદ્ધ ગોતે ણ થલ્મઈ = જે અભિમાનપ્રાપ્ત થઈને ગોત્રનો ગર્વ કરતા નથી, તે જ સાચા સાધુ છે.
ભાવાર્થ :- જે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્ર પુત્ર, લિચ્છવી દીક્ષિત થઈ ગૃહસ્થ દ્વારા આપેલા આહારનું સેવન કરનાર છે, જે અભિમાનયોગ્ય સ્થાનોમાં પણ[પૂર્વની જ્ઞાતિ સંબંધિત|ઉચ્ચ ગોત્રનો મદ કરતા નથી, તે જ સર્વજ્ઞ કથિત યથાતથ્ય ચારિત્રમાં પ્રવૃત્ત સાધુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org