________________
અધ્યયન-૮
_.
૨૮૯ ]
ભાવાર્થ :- તીર્થકરોએ પ્રમાદને કર્મ અને અપ્રમાદને અકર્મ કહ્યું છે. આ બન્નેની સત્તા-અસ્તિત્વની અપેક્ષાએ જ બાલવીર્ય અથવા પંડિતવીર્ય કહેવાય છે.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં વીર્યનું સ્વરૂપ, વીર્યના પ્રકાર અને તેનો આધાર બતાવવામાં આવ્યો છે. પહેલી ગાથામાં શ્રી સુધર્મા સ્વામીને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ભગવાન મહાવીર દ્વારા કહેલા બે પ્રકારના વીર્યનું સ્વરૂપ કેવું છે? પ્રભુવીર કયા વીર્યથી વીર કહેવાય છે?વીર્યની વ્યાખ્યા કરતા શાસ્ત્રકાર બીજી ગાથામાં અન્ય મતાવલંબીઓના વીર્યની વ્યાખ્યા પ્રગટ કરે છે. કર્મ કે કર્મણ્યતાને કર્મવીર્ય અને અકર્મણ્યતાને અકર્મવીર્ય કહેવાય છે. આ પ્રમાણે સક્રિયતા–નિષ્ક્રિયતાના આધારે વીર્ય–અવીર્યની વ્યાખ્યા કરવી ઉચિત નથી. કર્મ–અકર્મ શબ્દ આધારિત તીર્થકર ભગવાન કથિત વ્યાખ્યા આ પ્રમાણે છે. જેના દ્વારા કર્મનો બંધ થાય તે કર્મ અથવા પ્રમાદ તે કર્મ કહેવાય છે. આ કર્મ માટેનું પરાક્રમ તે બાલવીર્ય કહેવાય છે. જેના દ્વારા કર્મનો બંધ ન થાય પણ કર્મોની નિર્જરા જ થાય તે અકર્મ અથવા અપ્રમાદને, અકર્મ કહેવાય છે. અકર્મ માટેનું પરાક્રમ તે પંડિત વીર્ય કહેવાય છે. આ વાત બીજી–ત્રીજી ગાથા દ્વારા શાસ્ત્રકારે વ્યક્ત કરી છે. પાયં — માહંસુ, સખનીયં તડવર:- જેના કારણે પ્રાણીવર્ગ પોતાનું આત્મભાન ભૂલીને ઉત્તમ અનુષ્ઠાનથી રહિત થઈ જાય છે, તેને "પ્રમાદ" કહે છે. તે પાંચ પ્રકારનો છે મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. તીર્થકરોએ પ્રમાદને કર્મબંધનનું એક વિશિષ્ટ કારણ કહ્યું છે. પ્રમાદના કારણે જીવ આત્મભાન રહિત થઈને કર્મ બાંધે છે, તે પોતાની સઘળી શક્તિ(વીર્ય)ધર્મથી વિપરીત અધર્મ અથવા પાપયુક્ત કાર્યોમાં લગાવીને કર્મબંધન કરતો રહે છે. તેથી પ્રમાદયુક્ત સકર્મા જીવના પ્રત્યેક અનુષ્ઠાનને બાલવીર્ય કહે છે. તેથી વિપરીત પ્રમાદ રહિત પુરુષના કાર્યની પાછળ સતત આત્મભાન, જાગૃતિ તેમજ વિવેક હોવાના કારણે તેના કાર્ય દ્વારા કર્મબંધન થતું નથી. તે પોતાની સમગ્ર શક્તિ અપ્રમત્ત થઈને કર્મક્ષય કરવામાં, હિંસાદિ આશ્રવો તથા કર્મબંધના કારણોથી દૂર રહેવામાં તેમજ સ્વભાવ રમણતામાં લગાવે છે, તેથી તેવા અપ્રમત્ત તેમજ અકર્મ સાધકના પરાક્રમને પંડિતવીર્ય કહ્યું છે. તાત્પર્ય એ છે કે બાલવીર્ય અને પંડિતવીર્યનો મુખ્ય આધાર ક્રમશઃ પ્રમાદ અને અપ્રમાદ છે.
બાલજનોનું સકર્મવીર્ય :
सत्थमेगे सुसिक्खंति, अइवायाय पाणिणं । ___ एगे मंते अहिज्जति, पाणभूयविहेडिणो ॥ શબ્દાર્થ :- પળમાં અફવાવ = કોઈ પ્રાણીઓનો વધ કરવા માટે, સત્યં = તલવાર આદિ શસ્ત્ર, વિદ્યા અથવા ધનુર્વિદ્યા આદિ, અને પાનમૂવિડિઓ= કોઈ પ્રાણી અને ભૂતોના મારક એવા, મતે હિન્જલિ = મંત્રો શીખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org