________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- સંતિ વ્વિાળમાહિય = એમ કરવાથી શાંતિ રૂપી નિર્વાણપદની પ્રાપ્તિ કહેવામાં આવી છે. ભાવાર્થ :- ઊર્ધ્વ અધો અને તિÁ લોકમાં જે કોઈ ત્રસ–સ્થાવર પ્રાણી છે, તેઓના નાશ(હિંસા)થી વિરત થઈ જાય તે શાંતિરૂપ નિર્વાણપદને પ્રાપ્ત થાય છે, એમ કહેવામાં આવ્યું છે.
इमं च धम्ममादाय, कासवेण पवेइयं ।
२१
कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥
૧૯૦
ભાવાર્થ :- કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મને સ્વીકારી, સમાધિ ભાવ યુક્ત શ્રમણ ગ્લાનિ રહિત ભાવોથી બીમાર સાધુની વૈયાવચ્ચ કરે.
२२
संखाय पेसलं धम्मं, दिट्ठिमं परिणिव्वुडे ।
उवसग्गे णियामित्ता, आमोक्खाए परिव्वज्जासि ॥ त्ति बेमि ॥
ભાવાર્થ :- - સમ્યક્ દષ્ટિ સંપન્ન તેમજ પરિનિવૃત્ત (પ્રશાન્ત) કુશળ સાધક આ ધર્મને સમ્યક્ પ્રકારે જાણી ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરી, મોક્ષપ્રાપ્તિ સુધી સંયમમાં પરાક્રમ કરે.
વિવેચન :
આ અધ્યયનના ઉપસંહારમાં પાંચ ગાથાઓમાં ઉપસર્ગ વિજેતા સાધકની યોગ્યતા, તેનું પ્રતિફળ અને કર્તવ્યનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (૧) ઉપસર્ગવિજેતા સાધક પોતાના કર્મથી પીડિત સંસાર સાગરને સમુદ્રના વ્યાપારીઓની જેમ પાર કરે છે, (૨) પૂર્વ ગાથાઓમાં કહેલા ઉપસર્ગોને જાણી તેનાથી સાવધાન રહેતા હોય, (૩) ઉત્તમવ્રતના ધારક હોય, (૪) પાંચ સમિતિઓથી યુક્ત હોય, (૫) મૃષાવાદનો પરિત્યાગી હોય, (૬) અદત્તાદાનના ત્યાગી હોય, (૭) સમસ્ત પ્રાણીઓની હિંસાથી વિરત હોય, (૮) શાંતિને જ નિર્વાણ પ્રાપ્તિનું કારણ માનતા હોય, (૯) ભગવાન મહાવીર દ્વારા પ્રજ્ઞપ્ત ધર્મનો સ્વીકાર કર્યો હોય, (૧૦) બીમાર સાધુની પ્રસન્નભાવે સેવા કરતા હોય, (૧૧) મુક્તિ આપવામાં કુશળ ધર્મને ઓળખતા હોય, (૧૨) સમ્યક્દષ્ટિથી સંપન્ન હોય, (૧૩) જેના રાગ–દ્વેષ, કષાય આદિ વિશેષ પ્રકારે શાંત હોય, (૧૪) ઉપસર્ગો આવે ત્યારે તેનાથી પરાજય ન પામતા હોય, સહનશીલ હોય, (૧૫) મોક્ષપ્રાપ્તિ સુધી સંયમમાં નિષ્ઠાપૂર્વક પરાક્રમ કરતા હોય.
Jain Education International
(૧) ઓષ તસ્કૃતિ :- સંસાર સાગરને પાર કરવો ઘણો કઠિન છે, સંસાર ત્યારે જ પાર કરી શકાય, જ્યારે કર્મોનો સર્વથા ક્ષય થાય. કર્મોનો ક્ષય કરવા માટે પૂર્વગાથાઓમાં કહેલા અનુકૂળ અને પ્રતિકૂળ સમસ્ત ઉપસર્ગો પર વિજય મેળવવો જરૂરી છે. જે મોક્ષયાત્રી સાધક આ સમસ્ત ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરી લે છે, તેઓ બહુજ સરળતાથી તે રીતે ધર્મરૂપી કે સંયમરૂપી વહાણથી સંસાર–સમુદ્રને પાર કરી લે છે, જેવી રીતે સામુદ્રિક વ્યાપારી પોતાનાં વહાણો દ્વારા સમુદ્રને પાર કરે છે. જે દુસ્તર નારી–સંગરૂપી
For Private Personal Use Only
www.jainelibrary.org