________________
૧૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
- अचयंता व लूहेण, उवहाणेण तज्जिया ।
तत्थ मंदा विसीयंति, पंकसि व जरग्गवा ॥ શબ્દાર્થ :- નૂદેખ = રૂક્ષ–સંયમ પાલનમાં, નવચંતા = અસમર્થ, ૩વરનેપ = તપથી, તન્ના = પીડિત, પંલિ = કાદવમાં ફસાયેલ, નરવા = વૃદ્ધ બળદની જેમ. ભાવાર્થ :- સંયમપાલનમાં અસમર્થ તથા તપશ્ચર્યાથી ક્લેશ પામનારા અલ્પ સત્ત્વવાળા સાધક તે ઉચ્ચ સંયમ માર્ગ પર પ્રયાણ કરવામાં કષ્ટનો અનુભવ કરે છે જેમ કે કાદવમાં ફસાયેલ વૃદ્ધ બળદ દુઃખી થાય છે અથવા કાદવવાળા માર્ગ પર ચાલવામાં ઘરડો બળદ કષ્ટનો અનુભવ કરે છે.
एवं णिमंतणं लद्धं, मुच्छिया गिद्ध इत्थीसु ।
अज्झोववण्णा कामेहिं, चोइज्जंता गया गिह ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- મુછિયા = સુખોપભોગમાં આસક્ત, ફલ્યg f= સ્ત્રીઓમાં મોહિત, વાર્દ = કામભોગોમાં, ગોવવUT = દત્તચિત્ત પુરુષ, વોન્નતા = સંયમપાલન માટે પ્રેરિત કરાયેલા, હિં = ઘરે, સંસારમાં, = જઈ ચૂક્યા છે. ભાવાર્થ :- આ (પૂર્વોક્ત) પ્રકારે ભોગ ભોગવવા માટેનું નિમંત્રણ મેળવીને વિવિધ પ્રકારના ભોગોમાં આસક્ત, સ્ત્રીઓમાં અત્યંત વૃદ્ધ(મુગ્ધ) તેમજ કામભોગોમાં રચ્યા પચ્યા તથા તેમાં જ જેનું ચિત્ત લાગેલું છે તેવા સાધુ વેષધારીને સંયમ પાલન માટે પ્રેરિત કરવા છતાંએ ઘરે (સંસારમાં)ચાલ્યા ગયા છે તેમ સમજો. વિવેચન :
આ આઠ ગાથાઓમાં સાધુ જીવનમાં ભોગનિમંત્રણ રૂપ ઉપસર્ગ કેવી કેવી રીતે, કોના નિમિત્તથી આવે છે અને મોહમૂઢ મનોદુર્બલ સાધક કેવી રીતે તે ભોગોની જાળમાં ફસાઈ જાય છે, તે વર્ણન વિસ્તાર પૂર્વક કર્યું છે. રવાળો....નવ :- સાધુને ભોગોનું નિમંત્રણ આપીને કામભોગો તેમજ ગૃહવાસની જાળમાં ફસાવનાર ચાર પ્રકારના લોકો હોય છે (૧) રાજા-મહારાજા (૨) રાજમંત્રીવર્ગ (૩) બ્રાહ્મણવર્ગ (૪) ક્ષત્રિયવર્ગ. ભોગ પરાયણ શાસકવર્ગ જ પ્રાયઃ ભોગનું નિમંત્રણ આપનારા જોવામાં આવે છે. તેઓ પોતાના કોઈ લૌકિક સ્વાર્થવશ અથવા સ્વાર્થપૂર્તિ થઈ ગયા પછી અથવા પોતાના ભોગમાં સાધુ બાધક ન બને તે માટે વિવિધ વિષયોના ઉપભોગ માટે આમંત્રણ આપે છે અને સાધુઓને પણ પોતાની જેવા ભોગાસક્ત બનાવી દેવાનું કુચક્ર ચલાવે છે. ભોગ નિયંત્રણ રૂપ ઉપસર્ગ કયા કયા રૂપમાં? :(૧) fણમંતયંતિ મોહિં. સાદુળવિ :- પહેલા તો સમુચ્ચય રૂપે તેઓ સાધુને ભોગો માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org