SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ સુથારકુળ, ગ્રામરક્ષકકુળ કે વણકરકુળ છે. તે તથા આવા પ્રકારના બીજા પણ જે અજુગુણિત અને અગર્પિત કુળ હોય, તે કુળમાંથી પ્રાસુક અને એષણીય અશનાદિ ચારે ય પ્રકારના આહાર પ્રાપ્ત થાય, તો તેને ગ્રહણ કરે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને ભિક્ષા ગ્રહણ યોગ્ય કુળોનું કથન છે. કુળ” શબ્દનો સામાન્ય અર્થ વંશ, ગોત્ર અથવા પૂર્વજોની વંશ પરંપરા થાય છે. વિશેષ અપેક્ષાએ પિતૃપક્ષને કુળ અને માતૃપક્ષને વંશ કહે છે, પરંતુ પ્રસ્તુતમાં કુળનો સામાન્ય અર્થ વિવક્ષિત છે. સૂત્રોક્ત કુળોમાં માતૃ-પિતૃ બંને પક્ષોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત સત્રમાં ઉગ્રફળ વગેરે પ્રાચીન સમયના પ્રસિદ્ધ કુળોનો ઉલ્લેખ છે. જેમ કે- ઉગ્રફળભગવાન ઋષભદેવે જે કુળને રક્ષકરૂપે સ્થાપિત કર્યા હતા તે. ભોગફળ- રાજાના પૂજ્ય પુ અથવા બ્રાહ્મણ કુળ, રાજન્યકુળ- રાજાની સાથે મિત્રની સમાન વ્યવહાર કરનાર ક્ષત્રિય આદિ કુળ, ઇક્વાકુકુળ– ઋષભદેવ પ્રભુના વંશજો, હરિવંશકુળ- શ્રીકૃષ્ણ અથવા યદુકુળના વંશજો. કેટલાક સદા પ્રચલિત કુળોના નામ આ પ્રમાણે છે– એષિતકુળ- ગોવાળ જ્ઞાતિ, વેષિતકુળવિશ્વ-વણિક જ્ઞાતિ, ગંડકકળ વાણંદ જ્ઞાતિ, કોકાકકુળ- સુથાર જ્ઞાતિ, વોકશાલિક– વણકર જ્ઞાતિ, ગ્રામરક્ષક કુળ વગેરે કુળમાં તથા આવા પ્રકારના અન્ય અજુગુણિત કે અગહિત (અનિંદિત) કુળમાં સાધુ ભિક્ષા માટે પ્રવેશ કરે. જગસિત કળ :- જાતિની અપેક્ષાએ સમાજમાં જે કુળની ગણના તુચ્છ કુળ તરીકે થતી હોય, તેવા હરિજન, અનાર્ય, મ્લેચ્છાદિ કુળ જુગુપ્સિત કુળ છે અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક કુળના લોકોનો જે કુળના લોકો સાથે આહાર-પાણીનો વ્યવહાર નહોય, તેના ઘરમાં પ્રવેશ સ્વીકાર્ય ન હોય, તે જુગુપ્સિતકુળ છે. જાતિની અપેક્ષાએ સમાજમાં જેની ગણના ઉચ્ચકુળમાં થતી હોય, તેવા આર્ય સંસ્કૃતિનું આચરણ કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ કુળ અજુગુણિત છે અથવા જે કુળના લોકો સાથે આહાર પાણીનો વ્યવહાર હોય, જેના ઘરમાં પ્રવેશ સ્વીકાર્ય હોય, તે અજૂગુસિતકુળ છે. ગહિત કુળ :- જે કુળની વ્યક્તિઓના આચાર-વિચાર સજ્જન પુરુષોને યોગ્ય ન હોય, તેવા નિંદિત આચરણ કરનારા કુળને ગહિતકુળ કહે છે અને જે કુળની વ્યક્તિઓના આચાર-વિચાર સજ્જન પુરુષોને યોગ્ય હોય, તે અગહિત કુળ છે. જેમ કે- જે ઘરમાં માંસ, માછલી વગેરે અભક્ષ્ય પદાર્થો રંધાતા હોય, માંસના ટુકડા, હાડકાં, ચામડાં આદિ પડ્યા હોય, પશુઓ કે માછલીઓ આદિને મારવામાં આવતા હોય, જેના વાસણોમાં માંસ રાંધવામાં આવતું હોય, જ્યાં જાહેરમાં વ્યભિચાર થતો હોય, વેશ્યાઓના નાચગાન થતા હોય, દારૂ વગેરે માદક દ્રવ્યો પીવાતા હોય કે વેંચાતા હોય, આ રીતે જેનું આચરણ ખરાબ હોય તે ગહિત એટલે નિંદાપાત્ર-નિંદિત ઘર છે. તેવા ઘરોમાં ભિક્ષા માટે જવાથી ભિક્ષને પોતાને ઘૃણા ઉત્પન્ન થાય છે, સંસર્ગથી બુદ્ધિ મલિન થાય છે અને ત્યાં જવાથી લોકનિંદા થાય, આહારની શુદ્ધિ ન રહે તેમજ ધર્મસંઘની બદનામી થાય છે. તાત્પર્ય એ છે કે સાધુ-સાધ્વી પોતાની સંયમ સુરક્ષા માટે તેમજ વ્યવહાર શુદ્ધિને લક્ષ્યમાં રાખીને શાસનની લઘુતા ન થાય તે રીતે આગમ નિર્દિષ્ટ કુળોમાં વિવેકપૂર્વક, પ્રાસુક અને એષણીય આહારની ગવેષણા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy