________________
અધ્યયન-૭ : ઉદ્દેશક-૨
_
| ૨૪૧ |
હોય, સુધારેલી હોય તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય તો ગ્રહણ કરી શકે છે. આ સર્વ વર્ણન આમ્રવનમાં રહેલા સાધુના આચાર સમાન જાણવું જોઈએ. १० से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंतरुच्छुयं वा उच्छुगंडियं वा उच्छुचोयगं वा उच्छुसालगं वा उच्छुडालगं भोत्तए वा पायए वा । से जं पुण जाणेज्जा- अंतरुच्छुयं वा जाव डालगं वा; सअंडं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- સંતરુણુયં = શેરડીના પર્વનો મધ્યભાગ ૩થુકિયં = શેરડીની ગંડેરી ૩છુવોય = શેરડીની છાલ ૩છુસાન = શેરડીનો રસ ૩છુડાના = શેરડીના નાના ટુકડા ધોરણ પાથ = ચૂસવા કે પીવા. ભાવાર્થ :- સાધુ કે સાધ્વીને શેરડીના પર્વનો મધ્યભાગ, ગંડેરી, શેરડીની છાલ, શેરડીનો રસ, શેરડીના ટુકડા ખાવા કે પીવાની ઇચ્છા થાય, તો તે પહેલા જાણે કે તે શેરડીના પર્વનો મધ્યભાગ યાવતુ શેરડીના નાના નાના ટુકડા વિકલન્દ્રિય જીવોના ઈડા યાવત કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તથાપ્રકારની શેરડીને અપ્રાસુક અને અષણીય જાણીને ગ્રહણ કરે નહિ. |११ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंतरुच्छुयं वा जाव डालगं वा; अप्पंडं जाव असंताणगं, अतिरिच्छच्छिण्णं तहेव, तिरिच्छछिण्णे वि तहेव । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જો જાણે કે શેરડીના પર્વનો મધ્યભાગ યાવતુ શેરડીના નાના નાના ટુકડા વિકલેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, પરંતુ તે સુધારેલી નથી, તો ગ્રહણ કરે નહિ. જો તે જાણે કે શેરડીના ટુકડા વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, સુધારેલી છે, તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે. |१२ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ल्हसुणवणं उवागच्छित्तए, तहेव तिण्णि वि आलावगा, णवरं ल्हसुणं । ભાવાર્થ :- સાધુ કે સાધ્વીને લસણની વાડીમાં રહેવાની આવશ્યકતા ઊભી થાય, તો પૂર્વની જેમ વિધિપૂર્વક માલિકની કે અધિકારીની આજ્ઞા લઈને રહે. અવગ્રહ ગ્રહણ કર્યા પછી જો કોઈ કારણવશ લસણ ખાવાની ઇચ્છા થાય, ઇત્યાદિ ત્રણ સૂત્રાલાપકનું કથન કરવું– (૧) જીવ-જંતુ યુક્ત (૨) જીવ-જંતુ રહિત પરંતુ શસ્ત્ર પરિણત નથી (૩) શસ્ત્ર પરિણત. તેમાં બે આલાપકમાં અગ્રાહ્ય અને ત્રીજા આલાપકમાં ગ્રાહ્યનું કથન પૂર્વવત્ સમજવું. આ લસણ સંબંધી ત્રણેય આલાપકો પૂર્વના સૂત્રની જેમ જાણવા જોઈએ. વિશેષમાં ઇક્ષના સ્થાને લસણનું કથન કરવું. |१३ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ल्हसुणं वा ल्हसुणकंद वा लहसुणचोयगं वा ल्हसुणणालगं वा ल्हसुणडालगं वा भोत्तए वा पायए वा । से जं पुण जाणेज्जा ल्हसुणं वा जाव ल्हसुणणालगं वा सअंडं जाव णो पडिगाहेज्जा। एवं अतिरिच्छच्छिण्णे वि । तिरिच्छच्छिण्णे जाव पडिगाहेज्जा । શબ્દાર્થ - હૃકુળ = લસણને હૃદુખવું = લસણના કંદને કુળવોય = લસણની કળી હૃસુખખાન = લસણના ટુકડાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org