SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ રરર | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ पडिलेहिय-पडिलेहिय पमज्जिय-पमज्जिय तओ संजयामेव आयावेज्ज वा पयावेज्ज वा । ભાવાર્થ :- સાધુ ઈડા યાવત કરોળિયાના જાળા યુક્ત પાત્રને ગ્રહણ કરે નહિ ઇત્યાદિ સર્વ આલાપક વઐષણાની સમાન જાણી લેવા જોઈએ. વિશેષતા એ છે કે જો તે તેલ, ઘી, માખણ, અન્ય સ્નિગ્ધ પદાર્થો તથા સુગંધિત પદાર્થો લગાવીને પાત્રને નવું કે સુંદર બનાવવા ઇચ્છે ઇત્યાદિ સર્વ વર્ણન વઐષણાની જેમ જાણવું યાવતુ ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન, પ્રમાર્જન કરી યતનાપૂર્વક તે પાત્રને ધૂપમાં સૂકવે, વિશેષ સૂકવે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થ પાસેથી પાત્ર ગ્રહણ કરતાં પહેલાં તેનું પ્રતિલેખન એટલે નિરીક્ષણ કરવાનું પ્રતિપાદન છે અને ત્યાર પછી સંક્ષિપ્ત પાઠ દ્વારા સંપૂર્ણ વર્ણન વઐષણાની સમાન જાણવાનું સૂચન છે. વઐષણા નામના પાંચના અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના સૂત્ર-૧૬ થી ૨૧ સુધીના સૂત્રોનું અહીં પાત્ર સાથે કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા છે કે વસ્ત્રમાં તેલ, ઘી આદિ લગાડવાનું કથન નથી અને પાત્રમાં તેનું કથન કરવું જોઈએ. તે સિવાય સર્વ કથન વઐષણાની સમાન જાણવું. અણસં થર... – (૧) ગણતં- અપર્યાપ્ત. જે પાત્ર પ્રયોજનને સિદ્ધ કરવામાં ઉપયોગી ન હોય, તે ગત્તિ કહેવાય છે, જેમ કે પાણી માટે પાત્રની જરૂર હોય અને ગૃહસ્થને ત્યાં જે પાત્ર હોય, તે એકદમ નાનું હોય, તો તે પાત્ર નિર્દોષ હોવા છતાં પાણી લેવા માટે ઉપયોગી થતું નથી (૨) થર- અસ્થિર. પાત્ર મજબૂત અને ટકાઉ ન હોય અથવા એકદમ જૂનું, તરત જ તૂટી જાય તેવું હોય, તેને અસ્થિર કહેવાય છે. (૩) ઘુવં- અધુવ. ગૃહસ્થ તેને બે-પાંચ દિવસ આદિ અલ્પકાલ માટે જ આપતા હોય, સદા માટે સંપૂર્ણપણે ન આપે, તો તે અધુવ કહેવાય છે. (૪) અથાનિં - અધારણીય. આગમ આજ્ઞા પ્રમાણે સાધુને યોગ્ય ન હોય, રંગ-બેરંગી કે ચિત્રવાળું હોય, તે અધારણીય કહેવાય છે. (૫) રોફmત ન રય— ઇચ્છા હોવા છતાં પણ તે રાખી શકાય તેમ ન હોય. સાધુની પાસે જે પાત્ર છે તેની સાથે તે પાત્રને રાખવામાં કોઈ મેળ ન હોય, જડમાં ક્યાંય બંધ બેસતું ન હોય, વજનમાં ભારે હોય તો તે અપેક્ષાએ અહીં રોડનંત જ થફ આ કથન દ્વારા તેવા પાત્ર ગ્રહણનો નિષેધ છે. આ રીતે જે પાત્ર અપર્યાપ્ત, અસ્થિર, અદ્ભવ અને અધારણીય હોય તથા બંધ બેસતું ન હોય તો સાધુ તેને ગ્રહણ કરે નહીં. મi, થિર :- જે પાત્ર (૧) પ્રયોજનને સિદ્ધ કરવામાં ઉપયોગી હોય, (૨) મજબૂત અને ટકાઉ હોય, (૩) ગૃહસ્થ કાયમ માટે વહોરાવી દેતા હોય (૪) આગમ આજ્ઞાથી કલ્પનીય હોય (૫) ગ્રહણ કરનાર સાધુના અન્ય પાત્ર સાથે બંધ બેસતું હોય, આ પાંચ ગુણોથી યુક્ત પાત્ર પ્રાપ્ત થાય તો સાધુ તેને ગ્રહણ કરી શકે છે. અન્ય વર્જનીય દોષો :- (૧) પાત્રમાં જીવજંતુ હોય, તો સાધુ ગ્રહણ કરે નહીં (૨) પાત્ર ગ્રહણ કર્યા પછી તેને નવું, સુંદર બનાવવા થોડા કે વધારે સુગંધિત પદાર્થોનો લેપ કરે નહિ (૩) પ્રયોજન વિના પાત્રને તેલ, ઘી આદિ લગાવે નહીં (૪) પાત્ર નવું બનાવવા માટે થોડા કે ઝાઝા, ઠંડા કે ગરમ પાણીથી ધુએ નહિ (૫) પાત્રને સૂકવવા માટે સચિત્ત પૃથ્વી ઉપર મૂકે નહિ (૬) પાત્રને હૂંઠા ઉપર, ઉંબરા પર, ખાંડણિયા પર, નાવાના બાજોઠ ઉપર સૂકવે નહિ, તેમજ ચલાયમાન ઊંચા સ્થાન ઉપર સૂકવવા મૂકે નહિ. (૭) દીવાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy