________________
[ ૨૧૪]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
છઠું અધ્યયન | D/RAA Papapapapapapapapapapapapapapa
આ અધ્યયનનું નામ પાત્રષણા છે.
સાધુ કે સાધ્વીને સાધનાના સાધનભત દેહ નિર્વાહ માટે આહારની આવશ્યકતા છે. તે જ રીતે આહાર ગ્રહણ કરવા માટે પાત્રની પણ જરૂર પડે છે. સાધક જ્યાં સુધી દઢ મનોબળપૂર્વક કરપાત્રી ન બને ત્યાં સુધી તે સૂત્રોક્ત ત્રણ પ્રકારના પાત્રમાંથી કોઈપણ પાત્ર રાખે છે.
સાધુને કેવા અને કેટલા પાત્રો રાખવા, પાત્રની યાચના કેવી રીતે કરવી વગેરે વિષયોનું પ્રતિપાદન આ પારૈષણા અધ્યયનમાં કર્યું છે.
પાત્રના બે પ્રકાર છે– દ્રવ્યપાત્ર અને ભાવપાત્ર.
જેમાં પદાર્થોનું ગ્રહણ થાય તે દ્રવ્યપાત્ર છે અને અનંતગુણોના રહેવાના ભાજન રૂપ આત્મા સ્વયં ભાવપાત્ર છે. અનંત ગુણોના પ્રગટીકરણ માટે રત્નત્રયીની સાધના કરતા હોવાથી સાધુ ભાવપાત્ર છે.
પ્રસ્તુત અધ્યયનમાં દ્રવ્યપાત્ર વિષયક વિચારણા છે. આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે.
પ્રથમ ઉદ્દેશકમાં પાત્રના પ્રકાર, પાત્રની મર્યાદા, એષણીય-અષણીય પાત્ર, બહુમૂલ્યવાન પાત્ર ગ્રહણનો નિષેધ, પાત્ર પ્રતિલેખન, પારૈષણા સંબંધી ચાર પડિમાઓ; આ રીતે પાત્ર સંબંધી વિધિ-નિષેધનું કથન છે.
બીજા ઉદ્દેશકમાં પાત્ર ધારણ વિધિનું વિસ્તૃત વર્ણન છે.
આ રીતે બંને ઉદ્દેશક દ્વારા પાત્ર સંબંધી ગવેષણા, ગ્રહણેષણા અને પરિભોગેષણાનું પ્રતિપાદન છે. સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે નિર્દોષ પાત્ર ગ્રહણ કરે અને રાગ-દ્વેષ રહિત અનાસક્ત ભાવે તેનો ઉપયોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org