________________
[ ૧૮ ]
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
પ્રસ્તુત સૂત્રોક્ત કથન જિનકલ્પી સાધુને માટે છે, તે પ્રમાણે વૃત્તિકારનું કથન છે.
સંક્ષેપમાં સમભાવની સાધના, તે જ સાધુતા છે, તેથી સાધુ પોતાના પર ઉપકાર કે અપકાર કરનારા જીવો સાથે સમભાવપૂર્વક વ્યવહાર કરે. સંયમી જીવનની પ્રત્યેક પ્રવૃત્તિનું પરિણામ સમભાવ જ છે. ઉપસંહાર:१६ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ ઈર્યા વિષયક વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સર્વ વિષયોમાં સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
છે અધ્યયન-૩/૩ સંપૂર્ણ
જ છે ત્રીજું અધ્યયન સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org