________________
[ ૧૪૪ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ते णं बाला अयं तेणे, अयं उवचरए जाव णो पवज्जेज्ज गमणाए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :- શરવા િવ ાણરાયા = રાજા રહિતના ગામમાં અથવા ગણ રાજા એટલે જ્યાં અલ્પ સમય માટે પ્રજાની સર્વ સંમતિથી કે બહુમતિથી કોઈને રાજ્યસિંહાસને બેસાડ્યા હોય, તેવા રાજ્યમાં જુવરાળ = યુવરાજ, જેનો રાજ્યાભિષેક થયો નથી તેવા યુવરાજના રાજ્યમાં કે વોરાણિ = પ્રતિપક્ષી બે રાજાઓનું શાસન હોય તેવી નગરીમાં વેરાણિ = રાજ્યમાં વિકૃતિ-અવ્યવસ્થા થઈ રહી હોય તેમજ પરસ્પર રાજકુમારોનો વેર-વિરોધ ચાલતો હોય વિજ્ઞાન = રાજા-પ્રજાનો જ્યાં પરસ્પર વિરોધ ચાલતો હોય. ભાવાર્થ :- સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા જાણે કે માર્ગમાં આવતાં શહેરમાં અરાજકતા છે અથવા અલ્પકાલીન રાજા છે, અનેક યુવરાજ છે, પ્રતિપક્ષી બે રાજાઓનું શાસન ચાલે છે, રાજ્ય વ્યવસ્થા સુચારુ નથી એટલે વિતંડાવાદ ચાલે છે, રાજા-પ્રજાનો પરસ્પર વિરોધ ચાલે છે; આ પ્રકારના રાજ્યો આવે, તો વિહારને યોગ્ય અન્ય નગરો હોય તો અરાજકતાવાળા આદિ સ્થાનોમાં વિહાર કરે નહીં, કેવળી ભગવંતોએ કહ્યું છે કે તેવા રાજ્યોમાં વિહાર કરવો, તે કર્મબંધનું કારણ છે, કારણ કે ત્યાંના અજ્ઞાની લોકો સાધુ પ્રત્યે શંકા કરે કે આ ચોર છે, ગુપ્તચર છે ઇત્યાદિ. માટે સાધુ તે ક્ષેત્રોમાં વિહાર કરવાનો સંકલ્પ પણ કરે નહિ, પરંતુ તેવા ક્ષેત્રોને છોડીને અન્ય ક્ષેત્રોમાં યતનાપૂર્વક રામાનુગ્રામ વિહાર કરે. |१० से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुइज्जमाणे, अंतरा से विह सिया, से जं पुण विहं जाणेज्जा- एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा पाउणेज्जा वा णो वा पाउणेज्जा । तहप्पगारं विहं अणेगाहगमणिज्ज सइ लाढे जाव णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया-आयाणमेयं । अंतरा से वासे सिया पाणेसु वा पणएसु वा बीएसु वा हरिएसु वा उदएसु वा मट्टियाए वा अविद्धत्थाए । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारं विहं अणेगाहगमणिज्ज जाव णो गमणाए । तओ संजयामेव गामाणुगाम दुइज्जेज्जा । શદાર્થ:-વિલિ = જંગલ-અટવી હોય તો તે = = તે ફરી વિહંગાળ = અટવીના વિષયમાં જાણે કે તે અટવી દેખા = એક દિવસમાં પાર કરી શકાય છે કે જે વા પાસા = પાર કરી શકાય તેવી નથી તદપરંવદં = તથા પ્રકારની અટવી અને દાળ = ઘણા દિવસે પાર કરી શકાય છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા એમ જાણે કે આગળ લાંબો જંગલનો રસ્તો છે. તે જંગલ એક દિવસે, બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે કે પાંચ દિવસે પાર થાય તેવું છે અથવા(પાંચ દિવસે પણ) પાર કરી શકાય તેવું નથી. ત્યારે સાધુ વિહાર યોગ્ય બીજો રસ્તો હોય, તો તે અનેક દિવસે પાર થાય તેવા જંગલ માર્ગે જાય નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે તે કર્મબંધનું કારણ છે કારણ કે રસ્તામાં વરસાદ થઈ જાય, તો બેઇન્દ્રિયાદિ જીવોની ઉત્પત્તિ થાય અને લીલફુગ, બીજ, લીલોતરી, સચેત પાણી અને કાચી માટીના કારણે સંયમની વિરાધના થાય છે, તેથી તીર્થકર ભગવંતોએ પહેલેથી જ સાધુ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org