SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧: ઉદ્દેશક ૫૧ | केवली बूया- आयाणमेयं । असंजए भिक्खुपडियाए उस्सिचमाणे वा णिस्सिचमाणे वा आमज्जमाणे वा पमज्जमाणे वा ओयारेमाणे वा उव्वत्तेमाणे वा अगणिजीवे हिंसेज्जा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एसुवएसे- जं तहप्पगारं असणं वा पाणं वा खाइम वा साइमं वा अगणिणिक्खित्तं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- શિવના = અગ્નિ ઉપર રાખેલા વાસણમાં નાખતાંffસવમાને = અગ્નિ ઉપર રાખેલ વાસણમાંથી કાઢતા અથવા ઊભરાતા દૂધને શાંત કરતા સમજમા = હાથાદિથી હલાવતા કે પન્ના = વારંવાર હલાવતા કે યાત્રાને = અગ્નિ પરથી ઉતારતા કે ૩ષ્યમા = વાસણને ત્રાંસું કરતા પુષ્યોવા = પૂર્વોપદિષ્ટ અર્થાત્ તીર્થકર ભાષિત છે માgિi = અગ્નિ ઉપર રાખેલા. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે અશનાદિ આહાર અગ્નિ ઉપર રાખેલો છે. તો તેવા અશનાદિ ચારે પ્રકારના આહારને પ્રાપ્ત થવા છતાં પણ અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ. કેવળી ભગવાન કહે છે કે આ કર્મના આશ્રવનો માર્ગ છે, કારણ કે ગૃહસ્થ સાધુના લક્ષ્ય અગ્નિ ઉપર રાખેલા વાસણમાંથી આહાર કાઢતા, ઊભરાતા દૂધ આદિને પાણી આદિનો છંટકાવ કરી શાંત કરતા, તેને હાથ આદિથી એકવાર કે વારંવાર હલાવતાં, અગ્નિ ઉપરથી નીચે ઊતારતાં કે વાસણને ત્રાંસુ કરતાં, તે અગ્નિકાયના જીવોની હિંસા કરે છે. જેથી તીર્થકર ભગવંતોએ પહેલાંથી જ ભિક્ષુઓને માટે આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ કહ્યો છે કે સાધુ-સાધ્વી અગ્નિ ઉપર રાખેલા અશનાદિ ચારે પ્રકારના આહારને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મુખ્યત્વે વાયુકાય અને અગ્નિકાય જીવોની વિરાધના યુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ગૃહસ્થો ભૂજેલા કે શેકેલા પદાર્થોને સાધુ માટે ખાંડીને, તેનું ભૂસું કાઢીને, ફોતરા ઊડાડીને આપે તો તેમાં વાયુકાયની વિરાધના થાય છે અને ખાંડવા માટેની શિલા વગેરે સચિત્ત કે અન્ય જીવ યુક્ત હોય તો તે જીવોની વિરાધના થાય છે. વિનં ના તોમાં, મિથું ના તો :- બિલ લવણ, ઉભિન્નલવણ. આ બંને અચિત્ત થયેલા મીઠાના નામ છે. સામાન્ય રીતે મીઠું પૃથ્વીકાય હોવાથી સચેત છે. તેને અન્ય વિજાતીય શસ્ત્રનો સંયોગ થાય, ત્યારે તેનાથી પરિણત થઈને તે અચેત થાય છે, જેમ કે મીઠાને શેકી નાખે ત્યારે તે અગ્નિ પરિણત થવાથી અચેત થઈ જાય છે. તેવું બાળેલું મીઠું કે શેકેલું મીઠું બિલ લવણ–બલવણ અચેત છે અથવા લીંબુ, મરચા કેરીમાં આદિમાં મીઠું ભરીને રાખે. લીંબુ આદિના રસરૂપી શસ્ત્ર પરિણત થઈને તે સચેત મીઠું અચેત થાય છે. આ રીતે અન્ય કોઈ પણ શસ્ત્રથી અચેત થયેલું મીઠું ઉભિન્ન લવણ-મીઠું કહેવાય છે. આ અધ્યયનના દસમા ઉદ્દેશકમાં આ બંને પ્રકારના મીઠાનો સાધુ ઉપયોગ કરી શકે છે, તેવું વિધાન છે અને શ્રી નિશીથ સુત્રના બારમા ઉદ્દેશકમાં પણ આ બંને પ્રકારના મીઠાના નામ છે, ત્યાં સાધુને સંગ્રહ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy