SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ મચ્છરના એક નાના સરખા ચટકાને સહન કરવામાં પણ કેટલી સહિષ્ણુતા કે બળની આવશ્યક્તા પડે છે, એનો ખ્યાલ અનુભવથી આવી શકે તેમ છે. પણ એ બળ જેમ વાતો કરવાથી કે માત્ર શરીરશક્તિ કેળવવાથી આવી જતું નથી, તેમ સહવાથીયે આવી જતું નથી. એ માટે તો જબ્બરનિશ્ચયબળ જોઈએ."જગતની કોઈ પણ ક્રિયા અસહજ થતી નથી. સર્પ કે સિંહનું અમુકને કરડવું, અમુકનું અમુકને જ ઉદ્દેશીને રંજાડવું વગેરે થાય છે તે એનામાં પરસ્પર રહેલા વૈર અને ભયના સંસ્કારોને લીધે જ થાય છે. આવો જેને દઢનિશ્ચય છે," તે જ સાધકમાં આટલું બળ આવી શકે છે. એ જાતના બળ વિના સહન કરવું સહેલું છે, પણ સમભાવ જાળવવો દુર્લભ નહિ તો અશક્ય છે. એથી જ સૂત્રકાર મહાત્મા કહે છે કે, જે સમાધિ ઈચ્છતો હોય તેણે આ બાહ્ય પ્રતિકારથી મનને પર રાખવું. (ઉદ્દેશક ૮, ગાથા ૨૩, ૨૪) જોકે જીવનમાં પળેપળે ઢંદ્ર તો છે જ. પરંતુ એ એટલું ધીમું હોય છે કે સામાન્ય માનવીને તે સ્પષ્ટ દેખાતું નથી અને એથી એ અનેક ધંધો વચ્ચે પણ જીવનની આશાના મધુબિંદુએ ચાલ્યો જ જાય છે. પણ જ્યારે મૃત્યુની નોબત વાગે છે ત્યારે એની ઊંઘ ઊડી જાય. એક તરફની એની જીવનઆશા રૂંધાય છે અને બીજી તરફ એના બાંધેલા અનેક આશાઓ, મહેચ્છાઓ અને કલ્પનાઓના કોટ ટૂટી પડે છે. આ બે તરફના મારા વચ્ચે રહેલો માનવી મૂંઝાય છે, અકડાય છે, ચોમેર ઝાવાં મારે છે, કરુણ કાકલૂદી કરે છે અને ભાન ભૂલે છે. એટલા જ સારુ સૂત્રકાર મહાત્મા મરણકાલીન સ્થિતિને સમાધિમય રાખવાના વ્યવહારુ ઉપાયો દર્શાવી પુનઃપુનઃ તે યાદીને તાજી કરાવે છે. આગળ પ્રતિકૂળ પ્રસંગોનું વર્ણન થયું. આ બન્ને સૂત્રોમાં અનુકૂળ પ્રસંગોનું વર્ણન છે. પ્રતિકૂળ પ્રસંગોમાં સમભાવ જેટલો સુલભ અને શક્ય છે તેટલો અનુકૂળ સંયોગોમાં નથી. તો યે જેને આત્મભાન થયું છે તેને એ અશક્ય તો નથી જ. શાસ્ત્રકારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી બંન્ને પ્રકારના કામભોગોનો અહીં ઉલ્લેખ આપ્યો છે. કામભોગોથી આ આખો સંસાર જકડાયો છે એમ તો સૌનો અનુભવ છે. પણ તે કામભોગો શાથી ઈચ્છાય છે? એનો ઉકેલ એ કે તેમાં સુખ કહ્યું છે માટે એની ઝંખના છે. પછી સૂત્રકાર કહે છે કે, સુખ જગતની કોઈ પણ અંતવાન વસ્તુમાં નથી, તે અનંતમાં છે અને અનંતનું સુખ તો અનંતમાં જ હોય ને? જગતના જીવો જેમાં સુખ કહ્યું છે તે પદાર્થો પોતે નશ્વર છે, માટે જ સાચું સુખ નથી. દેવના ભોગોને રખે કોઈ સુખદ માને! તે સારુ કહે છે કે દિવ્ય પદાર્થો પણ નશ્વર છે. સુખ જોઈતું હોય તો અનંતમાં શોધો, એવો આ સૂત્રનો સાર છે. અણસણ એ શરીર છૂટતી વખતે શરીરજન્ય આસક્તિ જીવાત્માને જકડી ન લે તે સારુ એક ઉપયોગી સાધન છે. એટલા પુરતું તેનું અહીં ખૂબ મહત્ત્વ વર્ણવાયું છે. પણ તે ઉત્તમ છે, તેમાં ધર્મ છે, માટે સૌએ કરવું જ જોઈએ એવો આગ્રહ નથી. શક્તિ હોય એ જ એનું શરણું લે. પણ લીધા પછી છોડવું પડે એવું કોઈ ન કરે. જે ક્રિયા પ્રેમ, શ્રદ્ધા અને નિર્ભયતાથી સ્વીકારાય અને પ્રેમ, શ્રદ્ધા તથા નિર્ભયતાથી પળાય તે જ ક્રિયા સાધક નીવડે. જૈન મુનિ સાધકની કોઈ પણ ક્રિયા પ્રમાદ, અંધાનુકરણ, સ્વાભાવિકતા કે અવિવેક બુદ્ધિથી યુક્ત ન હોવી ઘટે. એટલું પ્રત્યેક સાધક વિચારે. નવમું અધ્યયન (ઉદ્દેશક ૧, સૂત્ર ૧) ભગવાન મહાવીરનું મૂળ ગામ ક્ષત્રિયકુંડ. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ. માતાનું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy