SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ પહેલાં પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું પણ અત્યાવશ્યક આચાર છે. અહીં 'અચિર' શબ્દથી 'સ્પંડિલ' ભૂમિ અર્થ કેમ થયો તે વિષયમાં વ્યાખ્યાકારે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી પરંતુ ઉત્તરા.અ.૨૪ ગા.૧૦ માં વિર નિ યમ શબ્દ પરઠવાની ચંડિલ ભૂમિના ગુણો માટે આવ્યો છે. ત્યાં તેનો અર્થ છે કે જે ભૂમિને અચેત્ત થયાને વધારે કાલ થયો ન હોય અર્થાત્ અલ્પકાલીન અચિત્ત ભૂમિ પરઠવાને યોગ્ય હોય છે. અથવા જ્યાં તાપ વગેરેથી થોડા સમયમાં જ પરઠેલા પદાર્થ સૂકાઈ જાય એવી ભૂમિ, આ પ્રમાણે અર્થ પણ કરી શકાય છે. સાર એ છે કે અચિર શબ્દ સ્પંડિલ ભૂમિ માટે છે અને તેનાથી પરઠવા યોગ્ય ભૂમિ અને સંથારો કરવા યોગ્ય ભૂમિ એમ બંને અર્થ સમજી શકાય છે. છે પરીક્ષણ :- આ વાક્યથી શાસ્ત્રકારે આત્મા અને શરીરની ભિન્નતાનો બોધ આપ્યો છે કે આ સમસ્ત પરીષહો શરીર પર આવે છે. મારો આત્મા શરીરથી ભિન્ન છે માટે પરીષહોથી મારે દુઃખી થવાનું નથી. સાથે એ પણ કહ્યું છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જ પરીષહ અને ઉપસર્ગ છે. અનશન સાધક સ્વયં જ શરીરના ભેદ માટે ઉદ્યમવંત થયા છે તો પછી આ પરીષહ, ઉપસર્ગથી શા માટે ગભરાય? તે તો પરીષહાદિને શરીરના ભેદમાં સહાયક કે મિત્ર માને. યુવવા સદિય :- આ સૂત્ર દ્વારા એ ભાવ પ્રગટ થાય છે કે પાદપોપગમન અનશનના સાધકની દષ્ટિ એક માત્ર મોક્ષ કે શુદ્ધ સંયમ તરફ જ રહે, મોક્ષમાં બાધક કે સંયમને દૂષિત બનાવનાર તત્ત્વોમાં અર્થાતુ વિનશ્વર કામભોગોમાં કે ચક્રવર્તી–ઈન્દ્ર આદિના દિવ્ય સુખોમાં ખેંચાય નહીં. તે આ સર્વ સાંસારિક સજીવ, નિર્જીવ પદાર્થો પ્રત્યે અનાસક્ત તેમજ સર્વથા મોહ મુક્ત રહે. આમાં જ તેના પાદપોપગમન અનશનની વિશેષતા છે. વિષ્યમાં જ રહે - સાધક દિવ્ય માયામાં વિશ્વાસ કરે નહિ. ફક્ત મોક્ષમાં જ તેનો વિશ્વાસ હોવો જોઈએ. સાધકની દષ્ટિ માત્ર મોક્ષની જ હોય છે તેથી તેના વિરોધી સંસાર પ્રત્યેની દષ્ટિ કે લક્ષ્ય ન જ હોવા જોઈએ. તેમાં જ તેની સાધનાની સફળતા છે. પાદિત, આ તારં - ગાથા ૧૧ માં ભક્ત પ્રત્યાખ્યાન અનશનથી ઈગિનીમરણ અનશનને વિશિષ્ટતર બતાવવામાં આવ્યું છે અને આવતરું શબ્દ દ્વારા ગાથા ૧૯ માં ઈગિનીમરણ અનશનથી પાદપોપગમન અનશનને વિશિષ્ટતર તપ કહ્યું છે. તાત્પર્ય એ છે કે ભક્તપ્રત્યાખ્યાન અનશનથી ઈગિનીમરણ અનશન વિશિષ્ટતર છે અને તેથી પાદપોપગમન અનશન વિશિષ્ટતર છે. આ બંને શબ્દો પરથી એમ પણ સમજી શકાય છે કે- ભક્તપ્રત્યાખ્યાન અનશન વિશિષ્ટ સાધના છે, ઈગિનીમરણ અનશન વિશિષ્ટતર સાધના છે અને પાદપોપગમન વિશિષ્ટતમ સાધના છે. આઠમો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર:- વસ્તુ સ્વરૂપનું દર્શન અનેકાંત દષ્ટિથી થઈ શકે છે. જ્યાં એકાંત છે ત્યાં આગ્રહ છે. આગ્રહ વ્યક્તિને દુર્ગતિમાં ખેંચી જાય છે. આગ્રહના અભિનિવેશમાં આવી ન જવાય માટે યોગ્ય સંગની જરૂર છે. સત્સંગ જીવનને નંદનવન બનાવી સુખદ અનુભૂતિ કરાવે છે. કુસંગતિ એ દુરાગ્રહ-કદાગ્રહના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy