________________
| વિમોક્ષ અધ્ય-૮, :૮
_.
૩૨૯
શબ્દાર્થ :-વિનંતે = બેઠા-બેઠા કે સૂતા–સૂતા જો સાધુના અંગો અકડાવા લાગે તો, રિને = ચંક્રમણ કરે, ફરે, રિકે સ્થિત રહે, અહી તે = પોતાના અંગોને સ્થિર, રાખ = ઊભા થવાથી, પરિજિનતે = ક્યારેક કષ્ટ થવા લાગે તો, સીગ્ન = બેસી જાય, ય= અને, અંતનો = અંતમાં. ભાવાર્થ :- આ અનશનમાં રહેલા મુનિ સૂતાં કે બેઠા થાકી જાય તો નિયત પ્રદેશમાં ચાલવા લાગે, ચાલવાથી થાકી જવા પર સીધા ઊભા રહી જાય, જો ઊભા રહેવામાં કષ્ટ થાય તો અંતે બેસી જાય. | १७ आसीणेऽणेलिसं मरणं, इंदियाणि समीरए ।
कोलावासं समासज्ज, वितह पाउरेसए ॥ શબ્દાર્થ :- માણી = સ્વીકાર કરેલ મુનિ, અતિસં = અનન્ય સદેશ અર્થાત્ જે મરણને સાધારણ મનુષ્ય અંગીકાર કરી શકે નહિ, નર = મરણને, વિધિ = ઈન્દ્રિયોને, સમીર = પોતાના વિષયોથી દૂર કરે, જોલાવા ઘણાદિ જંતુઓવાળી જગ્યા કે પાટાદિ, સાવઝ = મળવા પર તેને છોડીને,વિતાંજીવ રહિત સ્થાન કે પાટનું, વાસણ = અન્વેષણ કરે. ભાવાર્થ :- આ અદ્વિતીય મરણની સાધનામાં લીન મુનિ પોતાની ઈન્દ્રિયોને સમ્યકરૂપે સંચાલિત કરે. જો તેને કોઈ સહારાની આવશ્યકતા હોય તો ઘુણાદિ(જીવ)યુક્ત થાંભલો કે પાટિયું હોય તો તેનો સહારો લે નહિ પરંતુ ઘુણાદિથી રહિત, છિદ્રથી રહિત સ્થાન પાટનું અન્વેષણ કરે. | १८ जओ वजं समुप्पज्जे, ण तत्थ अवलंबए ।
तओ उक्कसे अप्पाणं, सव्वे फासेऽहियासए ॥ શબ્દાર્થ :- જો = જેનાથી, વન્ન = વજની સમાન ભારે કર્મની, પાપની, મુખને = ઉત્પત્તિ થાય છે, તત્વ = તે પાટ આદિનું જ અવલંવ = અવલંબન લે નહિ, તો = તેથી, ત્યાંથી, ૩/૩ = દૂર કરી લે, સખા = પોતાના આત્માને, સબ્ધ = સવે, તે = જે કષ્ટ થાય તેને, આહવાલ= સમભાવપૂર્વક સહન કરે. ભાવાર્થ :- જેનાથી વજ સમાન કર્મ કે વર્ય પાપ ઉત્પન્ન થાય, એવા ઘુણ, ઊધઈ આદિ જીવયુક્ત હોય તેવી વસ્તુઓનો સહારો લે નહિ. તેનાથી અથવા દુર્ગાન તેમજ દુષ્ટ યોગોથી પોતાના આત્માને બચાવે અને સર્વ દુઃખોને સહન કરે. વિવેચન :
ઈગિત મરણ - ઉપરોક્ત ગાથાઓમાં ઈગિનીમરણનું નિરૂપણ કર્યું છે, તે સમાધિમરણરૂપ અનશનનો બીજો પ્રકાર છે. ભક્તપ્રત્યાખ્યાન કરતાં આ વિશિષ્ટતા છે. તેની પણ પૂર્વ તૈયારી તથા સંકલ્પ કરવા સુધીની સર્વવિધિ ભક્તપ્રત્યાખ્યાનની જેમ જ સમજવી જોઈએ. ભક્તપ્રત્યાખ્યાનમાં જે કાળજી, સાવધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org