________________
[ ૩૨૮]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શબ્દાર્થ – હરિપતું = લીલોતરી ઉપર, fણવને = સૂવે નહિ પરંતુ, પંડિત્ત = નિર્જીવ થંડિલ ભૂમિ, મુખમા = જાણીને, સ = સૂવે, વિલિન = બાહ્ય અને આત્યંતર બંને પ્રકારની ઉપાધિઓનો ત્યાગ કરીને, અદારો = નિરાહાર રહેતા મુનિ, કો = પરીષહ, ઉપસર્ગ આવવા પર, તત્થ = ત્યાં,
દયાસણ= તેને સમભાવપૂર્વક સહન કરે. ભાવાર્થ :- મુનિ લીલોતરી ઉપર સૂવે નહિ. લીલોતરી તેમજ જીવજંતુ રહિત ઈંડિલ ભૂમિને જોઈને ત્યાં સૂવે. તે નિરાહારી ભિક્ષુ બાહ્ય તેમજ આત્યંતર ઉપધિનો ત્યાગ કરીને ભૂખ, તરસ આદિ પરીષહો તથા ઉપસર્ગોને સહન કરે. १४ इंदिएहिं गिलायतो, समियं साहरे मुणी ।
तहावि से अगरिहे, अचले जे समाहिए ॥ શબ્દાર્થ –હિં = ઈન્દ્રિયોથી, અંગોપાંગથી,નિયંતો = ગ્લાનિને પ્રાપ્ત થતા, નિયં=સમ્યક રીતે, યતનાથી, સાદરે= સંચારિત કરે, સંકોચે ફેલાવે, મુળ = મુનિ, તાવિક છતાં પણ, તોપણ, શાહિદે = અગહિંત, પ્રશંસનીય જ છે, નિંદનીય નથી, અને = ચલિત નથી, નિશ્ચલ છે, ને = જે, સમારક સમાધિથી. ભાવાર્થ :- આહારાદિના પરિત્યાગી મુનિ ઈન્દ્રિયોથી ગ્લાન થાય ત્યારે તેનાથી હાથ, પગાદિ સંકોચે– ફેલાવે. જે સમાધિભાવમાં અચલ છે અર્થાત્ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનમાં મનને જોડેલું રાખે છે, તે પરિમિત ભૂમિમાં શરીરની ચેષ્ટા કરવા છતાં નિંદાને પાત્ર બનતા નથી. | १५ अभिक्कमे पडिक्कमे, संकुचए पसारए ।
कायसाहारणट्ठाए, एत्थं वा वि अचेयणं ॥ શબ્દાર્થ :- મને = પોતાની પથારીમાંથી ઉતરીને સામે જઈ શકે છે અને, અને ત્યાંથી પાછા ફરી શકે છે, સંgવ = પોતાના અંગોને સંકોચી શકે છે, પસાર = ફેલાવી પણ શકે છે,
વસાહાર = પોતાના શરીરની સુવિધા માટે ઈગિતપ્રદેશમાં, પત્થ વાવિ = આ અનશનમાં પણ, તેમાં શક્તિ હોય તો, અવેચળ = અચેતન પદાર્થની જેમ, સ્થિર પણ રહી શકે છે. ભાવાર્થ :- આ અનશનમાં સ્થિત મુનિ શરીરની સામાન્ય પ્રવૃત્તિ માટે સીમિત ક્ષેત્રમાં ગમનાગમન કરે, હાથ પગાદિને સંકોચે અને ફેલાવે. જો શરીરમાં ક્ષમતા હોય તો આ ઈગિતમરણ અનશનમાં પણ અચેતનની જેમ નિચેષ્ટ થઈને રહે અર્થાતુ હલન ચલનાદિ કરે નહિ. | १६ परिक्कमे परिकिलंते, अदुवा चिट्टे अहायते ।
ठाणेण परिकिलते, णिसीएज्जा य अंतसो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org