SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ | ધૂત અધ્ય-૬, ઉ : ૫ [ ૨૧ | સાવધપ્રેરક, અવિવેકી ઉપદેશ ન આપવો જોઈએ. ધર્મોપદેષ્ટા મહામુનિ :| ३ अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे णो अत्ताणं आसाएज्जा णो परं आसाएज्जा णो अण्णाईपाणाई भूयाइंजीवाइंसत्ताइ आसाएज्जा। से अणासायए अणासायमाणे वज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवइ सरणं महामुणी। શબ્દાર્થ :- નપુવીક્ = વિચાર કર, આફરમાણે = કથન કરતા, પરં = બીજાની, ને માલી Mા = આશાતના ન કરે, અખાડું = બીજા. અMાથ = સ્વયં આશાતના નહિ કરતાં, અગાસાયમને = બીજા દ્વારા પણ આશાતના નહિ કરાવતાં, વાનાણT = વધ કરાતાં, સંસારમાં ડૂબતાં, ગ = જે રીતે, અસલી = પાણીની બાધાઓથી રહિત, અસંદીન, વીવે = દ્વીપ (વિશ્રામનું સ્થાન હોય છે), અ = આજ રીતે, સરળ મવડું = શરણરૂપ થાય છે. ભાવાર્થ :- ભિક્ષુ ઉક્ત વિવેક પૂર્વક ધર્મનું કથન કરતાં સ્વયંની આશાતના, અવહેલના કે અહિત કરે નહિ તેમજ શ્રોતાઓની પણ આશાતના, અવહેલના કરે નહીં અને અન્ય કોઈ પણ પ્રાણી, ભૂત, જીવ તથા સત્ત્વોને બાધા પહોંચાડે નહિ. આ પ્રમાણે કોઈની પણ આશાતના, અવહેલના ન કરનારા, આશાતના રહિત ધર્મોપદેશ કરનારા તે મહામુનિ અસંદીન દ્વીપની જેમ સંસારમાં ડૂબતાં વ્યથિત સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વને આશ્રયભૂત થાય છે. વિવેચન : આ સુત્રમાં ધર્મકથા કરનારને શાસ્ત્રકારે ચાર પ્રકારનો વિવેક બતાવ્યો છે– (૧) પોતાનું અહિત કરે નહીં (૨) બીજાની અવહેલના કરે નહીં (૩) પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વને આઘાત પહોંચાડે નહીં (૪). હિંસાજનક ઉપદેશ આપે નહીં. જે અત્તામાં નાસીપળા:-વૃત્તિકારે આત્માની આશાતનાનો અર્થ કર્યો છે કે પોતાના સમ્યગ્દર્શનાદિના આચરણમાં બાધા પહોંચાડવી તે આત્માશાતના છે. શ્રોતાની આશાતના, અવજ્ઞા કે બદનામી કરવી તે પરાશાતના છે. કોઈ પણ ત્રણ સ્થાવર જીવોની હિંસા થાય તેવો ઉપદેશ કરવો તે પ્રાણ, ભૂત, જીવ અને સત્વની આશાતના છે. મુનિ આ સર્વ આશાતનાઓથી રહિત ઉપદેશ કરે. અહીં વ્યાખ્યાકારે ધર્માખ્યાન કર્તાની સાત યોગ્યતાઓ કહી છે– (૧) નિષ્પક્ષતા (૨) સમ્યગ્દર્શન (૩) સર્વભૂતદયા (૪) પૃથક–પૃથક વિશ્લેષણ કરવાની ક્ષમતા (૫) આગમોનું જ્ઞાન (૬) ચિંતન કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy