________________
૨૪૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પ્ત કરવા :- 'ઉત્તર' શબ્દનો અર્થ છે- શ્રેષ્ઠ, ઉત્તમ, ઉત્કૃષ્ટ અને 'વાદ' નો અર્થ છે–સિદ્ધાંત. જિનાજ્ઞા પાલનને પોતાનો પરમ ધર્મ, પરમ કર્તવ્ય સમજવું એ શ્રેષ્ઠ સિદ્ધાંત છે. પરીષહ, ઉપસર્ગો આવે ત્યારે તેને સમભાવથી સહન કરવા પરંતુ મુનિધર્મથી ચલિત થઈ સ્વજનોની આસક્તિના કારણે ગૃહસ્થ જીવનમાં આવવું નહિ; કામભોગોમાં જરા પણ આસક્ત થવું નહિ; તપ, સંયમ અને તિતિક્ષા–સહિષ્ણુતામાં દઢ રહેવું, આ ઉત્તરવાદ છે. મનુષ્યો માટે આ ઉત્કૃષ્ટ ધૂતવાદ કહ્યો છે. આ ઉત્કૃષ્ટ ધૂતવાદના પાલન દ્વારા સાધક મુનિધર્મમાં સ્થિર બની આઠ કર્મોની મૂળ તથા ઉત્તર પ્રવૃત્તિઓને સાંગોપાંગ જાણીને તેનો ક્ષય કરે. પ્રશસ્ત એકચર્ચા નિરૂપણ -
६ इहमेगेसिं एगचरिया होइ । तत्थियराइयरेहिं कुलेहिं सुद्धसणाए सव्वेसणाए से मेहावी परिव्वए सुभि अदुवा दुभि । अदुवा तत्थ भेरवा पाणा पाणे किलेसंति। ते फासे पुट्ठो धीरे अहियासेज्जासि । त्ति बेमि ।
| વિફઓ ૩ો સમત્તો શબ્દાર્થ - ફુદ = આ જૈન શાસનમાં, હિં= કોઈ સાધુની, વરિયા દોફ એકચર્યા હોય છે, એકલાવિચરે છે, તત્થ = તે એકલા વિચરનાર, ફેર ફુદું જુદું-ભિન્નભિન્નકુળોમાં, સુસTE = એષણાના દસ દોષથી રહિત શુદ્ધ, સવ્વસા = ઉગમાદિ સર્વ દોષોથી રહિત, પરધ્વ = સંયમનું પાલન કરે, સુબિંક સુગંધી, સારા પદાર્થ, એ= દુર્ગધી, નરસા પદાર્થને, મેરવા = ભયંકર, ક્રૂર શબ્દો સંભળાઈ, પ = અન્ય પ્રાણીઓને, જિનેતિ = કષ્ટ દે છે, મારે છે, પુટ્ટ = અનુભવ, સ્પર્શ થવા પર, હિયારેષાસિક સમભાવપૂર્વક સહન કરે. ભાવાર્થ :- આ જિનશાસનમાં કોઈ હળુકર્મી સાધુ એકલા વિચારે છે. તે એકલવિહારી સાધુ વિભિન્ન કુળોમાં શુદ્ધ એષણા, ગવેષણાદિ કરી નિર્દોષ ભિક્ષા દ્વારા સંયમનું પાલન કરે. ગોચરીમાં સુગંધિ–સારો અથવા દુર્ગધિ-નરસો ગમે તેવો આહાર મળે તેને તે મેધાવીમુનિ સમભાવથી ગ્રહણ કરે અને વાપરે અથવા એક્લા વિચરતાં ભયંકર શબ્દોને સાંભળીને કે ભયંકર રૂપોને જોઈને તે એકલવિહારી સાધુ ભયભીત થાય નહિ. હિંસક પ્રાણીઓ કષ્ટ આપે, ત્યારે દુઃખ અનુભવે છતાં તે ધીરમુનિ સાધનાથી ચલિત ન થાય પરંતુ તેને સહન કરે. - એમ ભગવાને કહ્યું છે.
તે બીજે ઉદ્દેશક સમાપ્ત .
વિવેચન :
આ સૂત્રમાં પ્રશસ્ત એકલવિહારચર્યાના દઢ મનોબળધારી સાધુની સમ્યગુ સંયમ આરાધનાનું કથન છે. સુરણ સમ્બેસણા - આ બે શબ્દો કર્મક્ષય કરવામાં ઉપસ્થિત એકલવિહારી મુનિની આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org