SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ | લોકસાર અધ્ય-પ, ઉ: ૬ [ ૨૧૫ ] મહાન અને હળુકર્મી સાધક સાચા જ્ઞાતા દષ્ટ બને છે. સાધક આંતર નિરીક્ષણ કરીને વિષયસુખોની આકાંક્ષા કરતા નથી. વિવેચન : જન્મ :- આ શબ્દના બે પ્રકારે અર્થ છે– (૧) અકર્માનો અર્થ અહીં કર્મરહિત ન સમજતા અલ્પકર્મા કે 'હળુકર્મી આત્મા સમજવો. (૨) ઘાતકર્મ રહિત વીતરાગ કેવળીને પણ અકર્મા કહેવાય છે. કાTUE TE :- આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) હળકર્મી સાધક આશ્રયસ્થાનોને અને સંસારભ્રમણને સારી રીતે જાણે અને જુએ છે. (૨) હળુકર્મી આત્મા સંસારના વિષય સુખોને અને પૌગલિક સંયોગોને જ્ઞાતા દેણા ભાવે જુએ છે પરંતુ તેની આકાંક્ષા કરતા નથી. (૩) ઉપરોક્ત પ્રવ્રજિત થનાર મહાન આત્મા અકર્મ એટલે ઘાતકર્મથી રહિત થઈ સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે. ડિહાપ ૧૬ :- પ્રતિલેખના કરીને આકાંક્ષા કરે નહીં. અહીં આકાંક્ષા ન કરવાની સાથે પ્રતિલેખના શબ્દનો પ્રયોગ છે તેથી તેનો અર્થ સંસારી સુખોનું પ્રેક્ષણ, પૌદગલિક સુખોનું પ્રેક્ષણ, એમ કરવો જોઈએ. પાવર સાથે જોડતા તેનો અર્થ થાય છે કે સાધક આંતર નિરીક્ષણ કરીને ક્યારેય સાંસારિક સુખોની, વિષયસુખોની ઈચ્છા કરે નહીં. બીજો અર્થ એમ પણ થાય છે કે સાધક ભવભ્રમણના કારણોનું પ્રતિલેખન કરી પૌલિક સુખોની આકાંક્ષા કરે નહીં. જન્મમરણના ચક્રથી મુક્તિ :|६ इह आगई गई परिण्णाय अच्चेइ जाई मरणस्स वट्टमग्गं विक्खायरए । શબ્દાર્થ :- ૬ = આ લોકમાં, મારા = આગતિ–ગતિને, સર્વે = ઉલ્લંઘન કરી જાય છે, પાર કરી જાય છે, ખારૂં મરાટ્સ = જાતિ મરણના, વકૃમi = ચક્રાકાર માર્ગને, વિજય૨ = સંયમમાં, તીર્થકરની આજ્ઞામાં લીન રહેનારા. ભાવાર્થ :- જીવોની ગતિ આગતિ (સંસાર–ભ્રમણ)નાં કારણોને જાણીને મોક્ષ માર્ગમાં સ્થિત મુનિ જન્મ મરણના ચક્રાકાર માર્ગને અર્થાત્ સંસારચક્રને પાર કરી જાય છે. વિવેચન :અન્ને ના મરણરૂ વટ્ટમ - અન્ને શબ્દનો અર્થ છે ઉલ્લંઘન કરી જાય છે. અતિક્રમણ કરે છે. વટ્ટai નો અર્થ છે કે આ સંસારમાં ઉપરથી નીચે, નીચેથી ઉપર, દેવથી મનુષ્ય અને મનુષ્યથી નરક તિર્યંચ એમ સંસાર ચક્ર ચાલતું જ રહે છે. માટે આ સંસાર ભ્રમણમાર્ગને ચક્રાકાર 'વકમાં કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy