________________
લોકસાર અય્ય-પ, ઉ : ૫
કરતા નથી, સમાäિ - સમાધિને, સિયા - કદાચિત્, વેળે - કોઈ એક, કેટલાક, અણુતિ - આચાર્યાદિનું અનુગમન કરે છે, સંયમાનુકૂળ આચરણ કરે છે, અલિયા વેને અનુસ્મૃતિ - કદાચિત્ કોઈ સંયમાનુકૂળ આચરણ કરતા નથી, આચાર્યાદિનું અનુગમન કરતા નથી, ઉપદેશ જે અનુસરે છે, અણુમાખેત્તિ – ઉપદેશને અનુસારનારાઓથી, અળખુાબ્ઝમાળે - ઉપદેશને નહીં અનુસરનારા, વૈદ - કેમ, પ બિઘ્નિો - નિર્વેદ પામતા નથી ? સમજી શકતા નથી, તમેવ - તે જ, સર્બ્સ - સત્ય છે, ખીસ = નિશંક છે, ન બળેહિં - જે જિનેશ્વર ભગવંતોએ, વેડ્થ = કહેલ છે.
=
ભાવાર્થ ::- ફળ મળશે કે નહિ, એવી શંકા રાખનાર આત્માને સમાધિ પ્રાપ્ત થતી નથી. કોઈ એક સાધક જિનાજ્ઞાનું પાલન કરે છે અને કોઈ એક સાધક–મુનિ જિનાજ્ઞાનું યથાર્થ પાલન કરતા નથી, તો તે જિનાજ્ઞા પાલક સાધુઓ પાસેથી જિનાજ્ઞા નહિ પાલક સાધુ કેમ સમજી લેતા નથી ? ભગવાનનો માર્ગ કે શાસ્ત્ર શું અલગ અલગ છે ?તેનું સમાધાન કરતા શાસ્ત્રકાર કહે છે કે તીર્થંકરો દ્વારા જે પ્રરૂપિત છે તે સત્ય છે. તેમાં શંકાને કોઈ અવકાશ નથી અર્થાત્ તીર્થંકરનો ઉપદેશ કે આગમનો આદેશ તો સર્વને માટે સરખો હોય છે, પરંતુ દરેકના ચારિત્ર મોહનીયકર્મનો ઉદય અને ક્ષયોપશમ વિચિત્ર હોય છે તેથી તે છદ્મસ્થ સાધક એક બીજાથી સમજી શકતા નથી.
203
વિવેચન :
=
વિિિનાસમાવળેખ અખાભેળ :- જે તત્ત્વનો અર્થ સરળ હોય છે તે સુખાધિગમ કહેવાય છે, જેનો અર્થ સમજવો મુશ્કેલ છે તે દુરધિગમ કહેવાય છે તથા જે જાણી શકાતું નથી તે અનધિગમ તત્ત્વ છે. સામાન્ય રીતે દુરધિગમ અર્થમાં વિચિકિત્સા શંકા થાય છે. અહીં સૂત્રમાં વિચિકિત્સા શબ્દથી કહ્યું છે કે જેનું મન ડામાડોળ કે મલિન રહે છે, તે આચાર્યાદિ દ્વારા સમજાવવા છતાં રત્નત્રયાદિના વિષયમાં સમાધાન પામી શક્તા નથી.
સંદેહશીલ પ્રકૃતિવાળી વ્યક્તિ ધર્મ આરાધનામાં શાંતિ સમાધિ પામી શકતી નથી. તે સાધક જીવાદિ તત્ત્વોમાં, અન્ય સૂક્ષ્મતમ સિદ્ધાંતોમાં, આચાર સંબધી આદેશોમાં કે બીજી કોઈ પણ બાબતમાં શંકાઓમાં ફસાતો જાય છે. તે સમાધાનની જિજ્ઞાસાબુદ્ધિ રાખતો નથી. તેને મિથ્યાત્વ મોહના ઉદયની પ્રબળતા રહે છે. જેથી તે શંકાઓમાં ધર્મભાવનાનો નાશ કરી, ધર્મ સમાધિને પ્રાપ્ત કરી શકતો નથી.
સમાહિઁ :– સમાધિના ચાર અર્થ થાય છે– (૧) મનનું સમાધાન, (૨) શંકાનું નિરાકરણ, (૩) ચિત્તની એકાગ્રતા અને (૪) જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સમ્યભાવ કે તેની સમ્યગ સફળતા, આ ભાવ સમાધિ કહેવાય છે. વૃત્તિકારે સમાધિનો અર્થ કર્યો છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત ચિત્તની સ્વસ્થતા.
વિભિન્ન સૂત્રોમાં સમાધિના નિમ્ન અર્થ પણ સ્વીકારેલ છે– (૧) સમ્યગ મોક્ષમાર્ગમાં સ્થિત થવું. (સમ.ર૦) (૨) રાગ દ્વેષના ત્યાગરૂપ ધર્મધ્યાન –(સૂર્ય. ૧/૨/૨). (૩) સારુ સ્વાસ્થ્ય.. -(આવ.મલ.ર) (૪) મનની પ્રસન્નતા-સ્વસ્થતા. -(સમ.૩ર). (૫) નીરોગીપણું. -(વ્યવ. ઉ.૧). (૬) યોગ – (ઉત્ત.અ.ર.). (૭) સમ્યગ્દર્શન, મોક્ષાદિ વિધિ. –(સૂર્ય. ૧/૧૩), (૮) પ્રશસ્તભાવના (સ્થા.૨/૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org