SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૦૦ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ સંપHIYU = કામુક ભાવોને પરસ્પર ન પ્રસારે, જે નામ = મમત્વ કરે નહિ, જે વિપિ = તેની વૈિયાવચ્ચ કરે નહિ, વડા = વચન ગુપ્ત રહે, ખસવુ = મનને સંવૃત કરે, પરિવાર = છોડે, પડ્યું મોળું = આ મુનિવ્રતનું, સમજુવારે જ્ઞાતિ = સમ્યક્ પાલન કરે. ભાવાર્થ :- બ્રહ્મચારી સાધક બ્રહ્મચર્યની રક્ષા માટે કામકથા કરે નહિ, સ્ત્રીઓના અંગોપાંગ નીરખે નહિ, કામભાવના યુક્ત-સંકેત કરે નહિ, તેના પર મમત્વ ભાવ રાખે નહિ, પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયા કરે નહીં અથવા શરીરની શોભા શુશ્રુષા કરે નહિ, વાણીનો સંયમ રાખે અર્થાત્ વાણીથી કામોત્તેજક આલાપ સંલાપ કરે નહીં, મનને પણ કામવાસનાથી બચાવે અને કુશીલ સેવનરૂપ પાપનો સદા ત્યાગ કરે. આ પ્રમાણે મુનિભાવને જીવનમાં સમ્યક પ્રકારે સ્થિર કરે અર્થાતુ સંયમ તેમજ બ્રહ્મચર્યની સમ્યક આરાધનાથી જીવનને પૂર્ણ સુવાસિત કરે. – એમ ભગવાને કહ્યું છે. છે ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત છે વિવેચન : પૂર્વ સૂત્રમાં મોહોદયથી સંયમ સાધકના થયેલ ચલવિચલ પરિણામોની વિવેકયુક્ત ચિકિત્સાનું કથન કર્યું છે. ત્યાર પછી આ સૂત્રમાં વિવિધ પ્રકારે સ્ત્રી સંપર્ક ન કરવાની ખાસ ભલામણ કરી છે. છે જે હિપ - બ્રહ્મચારી સાધક સ્ત્રી સંબંધી કથા વિકથા કે કામકથા ન કરે. વાસનાપૂર્ણ દૃષ્ટિથી સ્ત્રીઓને ન જુએ, પરસ્પર આદાન પ્રદાન દ્વારા સ્ત્રી સંપર્ક વધારે નહીં, મમત્વ કે રાગભાવ રાખે નહીં, શરીરની શોભા વિભૂષા આદિ ન કરે, મૌન કરે અથવા વચનનો વિવેક જાળવે, પરિણામોને સંવૃત્ત કરે, શુભમાં જોડે, અશુભથી દૂર રહે, જ્ઞાન-વૈરાગ્યના સંસ્કારોથી પરિણામોને પવિત્ર રાખે, પાપને છોડે. આ રીતે તે સંયમભાવનું સમ્યફ પાલન કરે અને નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરે. આ ત્રણે ય સુત્રોમાં જેમ બ્રહ્મચારી સાધક માટે સ્ત્રીથી સાવધાન રહેવાનું વિસ્તૃત વિવેચન કર્યું છે. તેમ બ્રહ્મચારિણી સ્ત્રી, સાધ્વી માટે પણ પુરુષથી સાવધાન રહેવાનો સમસ્ત ઉપદેશ પ્રતિપક્ષરૂપે સમજવો જોઈએ. આગમની રચના પુરુષપ્રધાન હોવાને કારણે શાસ્ત્રમાં પુરુષની અપેક્ષાએ કથન હોય છે, છતાં જૈન દર્શનની સાપેક્ષવાદિતાને કારણે ઉભયપક્ષ સમજવું સમીચીન છે. II અધ્યયન-પ/૪ સંપૂર્ણ II છd પાંચમું અધ્યયન : પાંચમો ઉદ્દેશક ઝ00 સરોવરની ઉપમાથી મહર્ષિની મહત્તા - | १ से बेमि, तं जहा- अवि हरए पडिपुण्णे समंसि भोमे चिट्ठइ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy