________________
૧૯૬ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જીવ હિંસા એક સમાન થવા છતાં કર્મબંધ એક સરખો થતો નથી, કર્મની સ્થિતી કષાયોની તીવ્રતા, મંદતાનાં પરિણામ અનુસાર થાય છે.
કાયસ્પર્શથી કોઈ જીવની હિંસા કે પરિતાપ થઈ જાય તો આ સૂત્રમાં વૃત્તિકારે હિંસાના પાંચ પરિણામ બતાવ્યાં છે
(૧) શૈલેશી અવસ્થાને(૧૪ મા ગુણસ્થાનને) પામેલા મુનિથી જો કોઈ ત્રસ સ્થાવર પ્રાણીની વિરાધના થાય તોપણ બંધનાં ઉપાદાનકારણ– કષાય અને યોગનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી.(જળમાં સિદ્ધ થતા જીવની અપેક્ષા આ કથન છે.) (૨) ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગી કેવલીને(અગિયારમા, બારમા, તેરમા ગુણસ્થાનવર્તી જીવોમાં) સ્થિતિ બંધ નિમિત્તક કષાય નહિ હોવાથી ફક્ત યોગનિમિત્તક બે સમયની સ્થિતિનો કર્મબંધ થાય છે.
(૩) અપ્રમત્ત (સાતમાથી દશમા ગુણસ્થાનવર્તી) સાધુને જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ મુહૂર્તની સ્થિતિનું કર્મ બંધાય છે. (૪) વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતાં છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત સાધુથી જો ઈચ્છા વિના કોઈ જીવની હિંસા થઈ જાય, તો તેને જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ વર્ષની સ્થિતિનું કર્મબંધ થાય છે, તેથી તે જ ભવમાં તે કર્મોનું વેદન કરીને ક્ષયકરી નાખે છે. (૫) આગમોક્ત કારણ વિના આવિશ જો કોઈ જીવની હિંસા થઈ જાય તો તેનાથી પ્રાપ્ત કર્મબંધને તે સમ્યક પ્રકારે પરિજ્ઞાત કરીને પ્રાયશ્ચિત્ત દ્વારા ક્ષય કરી શકે છે. બ્રહ્મચારી સાધકની સ્ત્રીઓ પ્રત્યે પરા મુખતા :| ५ से पभूयदंसी पभूयपरिण्णाणे उवसंते समिए सहिए सया जए । दटुं विप्पडिवेदेइ अप्पाणं, किमेस जणो करिस्सइ ? एस से परमारामो, जाओ लोगंसि इत्थीओ। શબ્દાર્થ - પગૂયવંતી - પ્રભૂતદર્શી, દીર્ઘદષ્ટા, ભૂયરિણાને વિશિષ્ટ જ્ઞાની, પ્રભુતજ્ઞાની, સંસારના યથાર્થ સ્વરૂપને જાણનાર, ઠું= સ્ત્રીને જોઈને,વિMવિવેક વિચાર કરે છે કે, અખા = મારા આત્માને, મિસ = શું નુકસાન આ, ગળો- સ્ત્રીઓ, રસ્પર્ = કરી શકે? સ = આ તે, તે = પુરુષોને, પરમારાનો = અત્યંત મોહક હોય છે, પરમ રમણીય હોય છે, નામો જે. ભાવાર્થ :- અનુભવ સંપન્ન દીર્ધદષ્ટા, વિશિષ્ટ જ્ઞાની, ઉપશાંત, સમિતિ યુક્ત, જ્ઞાનાદિ સહિત, હંમેશાં યત્નશીલ ઈન્દ્રિય વિજેતા અપ્રમત્ત મુનિ, (બ્રહ્મચર્યથી ચલાયમાન કરનાર કે ઉપસર્ગ કરવા માટે ઉધત) સ્ત્રીને જોઈને તત્સંબંધી પ્રતિપક્ષી વૈરાગ્યમય ચિંતન કરે કે 'આ સ્ત્રી મારું શું કરશે ?' અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org