SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ | ત્રીજું અધ્યયન પરિચય @ 999 2022999 2028 229 2 આ અધ્યયનનું નામ "શીતોષ્ણીય' છે. અહીં શીતનો અર્થ છે અનુકૂળ અને ઉષ્ણનો અર્થ છે પ્રતિકૂળ. આ બંને પ્રકારના પરીષહ આદિને સમભાવપૂર્વક સહન કરવાના ભાવ આ અધ્યયનમાં સૂચિત કર્યા છે. શ્રમણચર્યામાં કહેલા રર પરીષહોમાંથી બે પરીષહો શીત પરીષહ છે, યથા– (૧) સ્ત્રી પરીષહ (૨) સત્કાર પરીષહ, શેષ વીસ પરીષહો 'ઉષ્ણ પરીષહ' છે. મનોજ્ઞ શબ્દ રૂપ આદિ ઈન્દ્રિય વિષયોની પ્રાપ્તિ અને અન્ય પણ ઐહિક મનોજ્ઞ સંયોગોની પ્રાપ્તિ થવી તેમજ આદર સત્કારની પ્રાપ્તિ તે શીતમાં સંગ્રહિત છે. અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયોની પ્રાપ્તિ અને બીજા પણ અમનોજ્ઞ સંયોગ પ્રાપ્ત થવા તેમજ કષ્ટ, ઉપસર્ગ, રોગાતંક આદિ ઉત્પન્ન થવા, તે ઉષ્ણમાં સંગ્રહિત છે. આ પ્રકારે આ સંપૂર્ણ અધ્યયનમાં ભાવ શીત અને ભાવ ઉષ્ણનો સંગ્રહ છે. મુમુક્ષુ સાધકે શીત અને ઉષ્ણ બન્ને અવસ્થાઓને સમભાવપૂર્વક પાર કરવી જોઈએ. સુખમાં પ્રસન્ન અને દુઃખમાંખિન્ન ન થવું જોઈએ. અનુકૂળ પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓમાં સમભાવ રાખી કર્મબંધની સર્વસ્થિતિઓથી સાવધાન રહેવું જોઈએ. પ્રથમ ઉદ્દેશકમાં સુખ કોણ અને જાગૃત કોણ? આ વિષયથી અધ્યયનનો પ્રારંભ થાય છે. ત્યાર બાદ આદર્શ સાધુત્વના ગુણ, સમભાવ પ્રેરણા, દુઃખ, જન્મ-મરણ કોને અને કેમ, તેનાથી મુક્તિ કોને ? પર્યવજાત શસ્ત્ર અને અશસ્ત્રનો સંબંધ, કર્મ જ સંસાર છે, તેનાથી થતાં પાપ અને રાગદ્વેષથી મુક્ત થવાના ઉપાય વગેરે વિષયનું કથન છે. બીજા ઉદ્દેશકમાં પાપકર્મોનો સંગ્રહ કોણ કરે? વૈર્યની સાથે કર્મક્ષય કરવાની પ્રેરણા, સંસારી વૃત્તિને ચાળણીમાં પાણી ભરવાની ઉપમા, હિંસાથી, સ્ત્રીઓથી અને કષાયથી નિવૃત્ત થવાનો ઉપદેશ આદિ વિષયોનું વર્ણન છે. અંતે મનુષ્યભવના અવસરને અહિંસક બની સફળ કરવાની પ્રેરણા કરવામાં આવેલ છે. ત્રીજ ઉદ્દેશકમાં અહિંસામાં અંતર માનસનો ભાવ, સંયમની સાવધાની અને તેનાથી લાભ, લૌકિક ભ્રમપૂર્ણ માન્યતા અને સાચી સમજ, સંયમમાં દઢતા, આત્મનિગ્રહથી મુક્તિ ઈત્યાદિ મુખ્ય વિષય છે. ચોથા ઉદ્દેશકમાં કષાય ત્યાગ અને પ્રમાદ ત્યાગ તથા તેનું ઉત્તમ પરિણામ બતાવેલ છે. આ પ્રમાણે ચારે ઉદ્દેશકોમાં આત્માના પરિણામોમાં થનારી ભાવ શીતલતા અને ભાવ ઉષ્ણતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy