SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ • 1 | HIS = HIT સ પાસે = શબ્દોના સ્પર્શને, દિયાસમાને = સહન કરતાં, ૬ = આ લોકમાં, લિંક = નિવૃત્ત થાય, ત્યાગ કરે, નહિં= આનંદ, વિષયાનંદને, ગાવિયસ = અસંયમી જીવનમાં, મુખી છે સંયમને, સમય = સ્વીકારીને, “ = ખંખેરે, ઉમ્મરર = કર્મ-કાશ્મણ શરીરને, પત[૬ = નીરસ, રૂક્ષ આહારને, સેવંતિ = સેવે છે, સમૂત્તળિો = સમત્વદર્શી, ચોદતરે = તરી જાય છે, તિપણે = સંસાર સાગરને તીર્ણ, મુત્તે = મુક્ત, વિર = વિરત, વિહિપ = કહેવાય છે. ભાવાર્થ :- વીર સાધક સંયમમાં ઉત્પન્ન થયેલ અચિને સહન કરતા નથી અને બાહ્ય પદાર્થોમાં થતી રતિ-રુચીને પણ સહન કરતા નથી, કારણ કે વીર સાધક અન્યમનસ્ક થતા નથી, શાંત સ્વસ્થ ચિત્તવાળા હોય છે. વીર સાધક કોઈ પદાર્થ ઉપર રાગવૃત્તિ ઉત્પન્ન થવા દેતા નથી. શબ્દ, સ્પર્શ આદિ જન્ય કષ્ટોને સહન કરતા હે મુનિ! ઈહલૌકિક પુલ જન્ય આનંદથી નિવૃત્ત થા, નિર્વેદ ભાવને પામ. હે મુનિ! સંયમને ગ્રહણ કરીને કર્મશરીરને ખંખેરી નાખ. તે સમત્ત્વદર્શી વીર સાધક સમભાવ પૂર્વક લૂખો-સૂકો નીરસ આહાર કરે છે. આવા રૂક્ષ આહારી તેમજ સમત્વસેવી મુનિ જન્મ મરણરૂપ સંસાર પ્રવાહને તરી જાય છે, તે જ વાસ્તવમાં તીર્ણ, મુક્ત અને વિરત કહેવાય છે. વિવેચન : આ ગાથાઓમાં સાધકને સમત્વદર્શી, શાંત અને મધ્યસ્થ બનવાનું પ્રતિપાદન કર્યું છે. રતિ અરતિથી મુક્ત થઈ સ્વસ્થચિત્તથી સફળ સાધના કરવાની પ્રેરણા આપી છે. અરડું, ડું – રતિ અને અરતિ માનવના અંતઃકરણમાં છુપાયેલી નિર્બળતા છે. રાગદ્વેષની વૃત્તિઓના જામેલા ગાઢ કે સૂક્ષ્મ સંસ્કાર જ મનુષ્યને મોહક વિષયો તરફ ખેંચે છે તેમજ પ્રતિકુળ વિષયોનો સમાગમ થાય ત્યારે ચંચળ બનાવી દે છે. - અહીં અરતિનો અર્થ છે સંયમ સાધનામાં, તપશ્ચર્યામાં, સેવામાં, સ્વાધ્યાય આદિમાં ઉત્પન્ન થતી અચ તેમજ અનિચ્છા. આ પ્રકારની અરૂચિ સંયમ સાધના માટે બાધક છે. - રતિનો અર્થ છે- શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ મોહક વિષયોથી ઉત્પન્ન થયેલી ચિત્તની પ્રસન્નતા–સંચિ અથવા આકર્ષણ. અરતિ અને રતિ બંને મનોવૃત્તિઓથી સંયમ સાધના ખંડિત અને નષ્ટ થઈ શકે છે તેથી વીર, પરાક્રમી, ઈન્દ્રિય વિજેતા સાધક પોતાનું અનિષ્ટ કરનારી આવી વૃત્તિઓને સહન કરે નહીં અથવા તેની ઉપેક્ષા કરે નહિ. સદે છે :- પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં પહેલા અને છેલ્લા વિષયનું કથન કરીને વચ્ચેના રૂપ, રસ, ગંધ ત્રણે ય વિષયો તેમાં સમાવ્યા છે. આ વિષયો ક્યારેક મધુર-મોહકરૂપમાં મનને લલચાવે છે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy