________________
[ ૯૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અનુસાર એક છિદ્ર થતાં જ અનેક અવગુણ આવી જાય છે તેથી અહીં અહિંસાવ્રતની અખંડ-નિરતિચાર સાધનાનો નિર્દેશ કર્યો છે.
કસિ મે પણ પલ્વદયા – આ સૂત્રનો બીજી રીતે ભાવાર્થ આ પ્રમાણે છે-વિખુમાણન = પ્રમાદ દૂર થવાથી, પુછો = પૃથક પૃથક, વકૅ = વ્રતનું, પ થ્થર = પાલન કરે છે, નહિ = જે, ને = મેં. પગપધ્વરિયા = પ્રાણીઓને પીડિત કર્યા છે, પડિહાર = કોઈ પણ વિચારોથી, નો વિરાણ = તે કર્મોથી છુટકારો થઈ શકતો નથી, પણ પરિણા પવુ% = આ પરિજ્ઞા કહેવાય છે, બોધ-જાગૃતિ કહેવાય છે, મોવતિ = તે જાગૃતિ ચારિત્ર મોહકર્મના ઉપશાંત થવાથી થાય છે.
ભાવાર્થ :- કોઈ સાધક પોતાનો પ્રમાદ દૂર થવા પર તે પુનઃ એક એક વ્રતની આરાધના કરે છે. તે વિચારે છે કે કોઈપણ વિચારણાથી કરેલી વિરાધનાથી બંધાયેલા કર્મ ભોગવ્યા વિના નષ્ટ થઈ શકતા નથી. આ પ્રકારે કર્મો ઉપશાંત થવાથી તેની વિચારણા વિરાધનાથી પુનઃ આરાધનામાં પરિવર્તિત થાય છે. તે પરિજ્ઞા-પુનર્બોધ, જાગૃતિ કહેવાય છે. મમત્વ અને લોકસંજ્ઞાનો ત્યાગ :| २ जे ममाइयमई जहाइ से जहाइ ममाइयं । से हु दिट्ठपहे मुणी जस्स णत्थि ममाइयं । तं परिण्णाय मेहावी विदित्ता लोगं, वंता लोगसण्णं, से मइमं परक्कमेज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :- ને મીઠું = જે પુરુષ મમત્વબુદ્ધિને, નર = છોડે છે, તેમની = મમત્વને, સ્વીકૃત પરિગ્રહને, વિદુપદે = મોક્ષમાર્ગને જોનાર, વિત્ત નોન = લોક સ્વરૂપને જાણીને, નોધાઇ = લોકસંજ્ઞાને, વંતા છોડીને, મફH = મતિમાન પુરુષ, પરવળાલિ = સંયમ પાલન કરે, સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે. ભાવાર્થ :- જે મમત્વબુદ્ધિનો ત્યાગ કરે છે તે મમત્વ-પરિગ્રહનો ત્યાગ કરે છે અર્થાત્ તે જ અપરિગ્રહી થાય છે.
જેણે મમત્વનો ત્યાગ કરી દીધો છે તે જ સત્યપથનો દષ્ટા-મોક્ષ માર્ગને જોનાર, સમજનાર મુનિ છે. આ જાણીને મેધાવી લોક સ્વરૂપને જાણે, લોક સંજ્ઞાનો–સંસાર પ્રવાહની રુચિનો ત્યાગ કરે તથા સંયમમાં પુરુષાર્થ કરે. વાસ્તવમાં તે જ જ્ઞાનીપુરુષ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મમત્વ બુદ્ધિ અને લોકસંજ્ઞાથી મુક્ત થવાની વાત કહી છે. મમત્વ–મૂચ્છ તેમજ આસક્તિ બંધનનું મુખ્ય કારણ છે. પદાર્થના સંયોગ માત્રથી ચિત્ત મલિન થતું નથી અને કર્મ બંધન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org