________________
[ ૪૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
से सयमेव वाउसत्थं समारंभइ, अण्णेहिं वा वाउसत्थं समारंभावेइ, अण्णे वा वाउसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए, तं से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइएस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए । जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । ભાવાર્થ :- હિંસામાં સંકોચનો અનુભવ કરતાં સંયમી સાધકોને ભિન્ન જાણ અને અમે અણગાર છીએ', સાધુ છીએ એમ કહેતા સાધુઓ અનેક પ્રકારનાં શસ્ત્રો વડે વાયુકાયનો આરંભ કરે છે, વાયુકાયનો આરંભ કરતાં તેઓ અન્ય અનેક જીવોની હિંસા કરે છે, તેને તું ભિન્ન જાણ.
વાયુકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેકનું કથન કર્યું છે. કોઈ મનુષ્ય આ જીવન માટે, પ્રશંસા, સન્માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા વાયુકાયનો આરંભ કરે છે, બીજા પાસે વાયુકાયનો આરંભ કરાવે છે, વાયુકાયનો આરંભ કરનારની અનુમોદના કરે છે. આ હિંસા તેના અહિત અને અબોધિ માટે છે. હિંસાના જે પરિણામો કહ્યાં તેને સારી રીતે સમજીને કોઈ સંયમમાં ઉપસ્થિત થાય છે.
ભગવાનની પાસે અથવા અણગાર એવા શ્રમણોની પાસેથી સાંભળીને તેઓએ એ જાણ્યું છે કે આ હિંસા ગ્રંથી છે, મોહ છે, મૃત્યુ છે, નરક છે.
તો પણ કોઈ મનુષ્ય વર્તમાન જીવનમાં આસક્ત થઈને વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી વાયુકાયની હિંસા કરે છે. તે વાયુકાયની હિંસા કરતાં અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. વાયુકાયની વિરાધના સાથે બીજી વિરાધના :| ३ से बेमि- संति संपाइमा पाणा आहच्च संपयंति । फरिसं च खलु पुट्ठा एगे संघायमावज्जति । जे तत्थ संघायमावज्जति ते तत्थ परियावज्जति । जे तत्थ परियावज्जति ते तत्थ उद्दायति । શબ્દાર્થ :- સંતિ = છે, સંપામ = ઊડનારા, પણ = ઘણા જીવો, મહંન્ન= ક્યારેક વાયુના આઘાતથી, સંપતિ = પડે છે, પરિસં = વાયુના સ્પર્શને, પુઠ્ઠા = પ્રાપ્ત કરીને, જો તે જીવો, સંથાવનાવલિ = ઘાયલ થાય છે, તત્વ = જે ત્યાં, તે તલ્થ = તે ત્યાં, રિયાવતિ = મૂચ્છિત થઈ જાય છે, ૩યંતિ = મૃત્યુ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org