________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તલવારથી શત્રુ મરી જાય છે, શત્રુતા મરતી નથી. પરંતુ ક્ષમાનાં માધ્યમથી શત્રુ મિત્ર બની જાય છે અને તેની શત્રુતા મટી જાય છે.
ભક્તિ ને ભાવનાથી વ્યક્તિ ભગવાન સુધી પહોંચી શકે છે.
ક્ષમાપના ધર્મને પ્રાણ છે. એમાં સ્વીકાર અને સમર્પણની ભાવના છે.
જે સહન કરે છે તે જ સિદ્ધ બને છે.
સમર્પણ તે ગંગાના નીર સમાન છે જે ગટરના પાણીને પણ પોતાના જેવું નિર્મળ બનાવી દે છે.
જરૂર કરતાં વધારે ખાનાર રોગને આમંત્રણ દે છે.
તપશ્ચર્યા વિષય કષાયને ભસ્મીભૂત કરી આત્માને કંચન સમાન શુદ્ધ બનાવે છે.
સમયને સદુપયોગ નહીં કરે તે સમય તમારો સદુપયોગ કરશે.
[૩]
For Private And Personal Use Only