________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાથી જીવન પવિત્ર બનશે અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી અને પ્રેમભાવ ઉત્પન્ન થશે.
ઉદારતાથી જીવનમાં સુખી બનાય છે.
અનીતિથી ઉપાર્જન કરીને માનવી વર્તમાનના લાભમાં ભવિષ્યના અનંત આનંદને નાશ કરે છે.
પારકી આશાએ જીવન, જીવવું પરાધીનતા છે.
આશાના બંધનમાં બંધાયેલ માનવી મુક્ત થવા ઘણું તરફડિયાં મારે છે પણ તેમાંથી મુક્ત થવાતું નથી, ઊલટે તે વધારે બંધનથી મજબૂત થાય છે.
મનની પવિત્રતાના કારણે મહાન પુરૂષના શબ્દ પણ મંત્ર બને છે.
સર્વ પાપનું મૂળ તૃષ્ણ છે.
એ માણસ નસીબદાર છે, જે કોઈ ચીજની આશા નથી કરતે, કારણ કે તેને કદી નિરાશ નહિ થવું પડે.
[ ૧૭ ]
For Private And Personal Use Only