________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ. પૂ. પ્રાતઃસ્મરણીય ગુરુદેવનાં વ્યાખ્યાને તે અનેક અનેકને રસમાં તરબોળ કરે છે. તેમની શાક્ત અખ્ખલિત વાણું–તેમનાં સચોટ ને હૃદયસ્પર્શી ઉદાહરણો-નાના મોટા વિષયને સમય ને સંજોગો પ્રમાણે શ્રોતાઓ મૂકવાની મોલિક સૂઝ-દરેક માટે અવિસ્મરણીય છે. વ્યાખ્યાન પણ મીઠી મધુરી હિંદી જબાનમાં અપાય છે, ત્યારે અનેક આત્માઓ સમયનું ભાન ભૂલી પરમાત્માના સંદેશને પૂ. ગુરુદેવના આગમપ્રધાન વાણીમાં સાંભળવાને અનન્ય અને અનુપમ લહાવો માને છે. તેવા રસઝરતાં વ્યાખ્યામાંથી યુકિંચિત્ પ્રાપ્ત કરી આ પુસ્તક “પ્રેરણ'માં આપેલ છે. આ “પ્રેરણા” અનેકના જીવનને સદાચારી જીવન જીવવા ને સમ્યકત્વ પ્રાપ્ત કરવા પ્રેરણું આપશે, પ. પૂ. ગુરુદેવ આચાર્ય દેવેશના મૌલિક પ્રકાશને “ચિંતનની કેડી” તથા “પાથેય” પુસ્તકેએ કેટલાય જીવનમાં સુખ-શાંતિ–સમતા પ્રગટાવ્યા છે, તે તેમના તરફથી આવતા પત્રો તથા સંદેશાથી જાણવા મળે છે.
૫. પૂગુરુદેવ આચાર્ય દેવેશ શ્રી પદ્મસાગરજી મહારાજ સાહેબનાં ધર્માભિમુખ કરતાં વ્યાખ્યાને રૂપી સાગરમાંથી ગાગર કરતાં પણ ઓછું મેળવ્યું–તેને શાસ્ત્રોક્ત રીતે સંમાર્જન પ. પૂ. પ્રાતઃ
સ્મરણીય, જ્યોતિષાચાર્ય, શાસ્ત્રરહસ્યવેદી, અસીમ ઉપકારી ગુરુદેવ આચાર્ય દેવેશ શ્રી કલ્યાણસાગરજી મહારાજ સાહેબે કરી આપેલ, તે માટે તેઓશ્રીને ઋણી છુ
આ બધા પર કૃપા-કરૂણછાયા પ્રસરી રહી હોય તે તે પ.પૂ. પ્રાતઃસ્મરણીય યોગીશ્વર શાંત દિવ્યાત્મા શ્રી સીમંધરસ્વામી તીર્થ સ્થાપક આચાર્ય દેવેશ શ્રી કૈલાસસાગરજી મહારાજ સાહેબની.
તે આ “પ્રેરણ”નું સંપાદન કરવા માટે અસીમ કૃપા મારા પર પ. પૂ. ગુરુદેવે આચાર્ય દેવેશની વરસી રહી, તે માટે તેઓશ્રીને
For Private And Personal Use Only