________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ખરડાયેલા હાથે બીજી વસ્તુને સારી નથી કરી શકતા. જે લેકે પોતાને જુએ છે, તેને વિકાસ જલદી થાય છે. છેડા શાંત ને સ્વસ્થ થઈને આત્માની બેજ કરવાની છે, અંતરને ધીમે ધીમે સ્વચ્છ બનાવવાનું છે.
પિતાની શોધ કરતાં આખા જગતની શોધ થઈ જાય છે. તે માટે અમૂલ્ય ચાવી છે મૌન. મૌન જેટલું વધારે, તેટલી આત્મશુદ્ધિ વધારે.
આવી મંગળમય દષ્ટિ જીવનમાં દિવ્યશાંતિ લાવે છે. જેવાં કર્મ કર્યો હોય, તેવાં ફળ મળે છે. પ્રયત્ન સારે ને સાચે કરવાનું છે, પરિણામની ફિકર નથી કરવાની, જીવનમાં બને તેટલું શાંત બનવાનું છે.
બીજાના દોષ જોવા નહીં, તેથી તે આપણું મન બગડી જાય છે. આપણું દોષ જેવાથી આપણું જીવન સુંદર બની જાય છે. અપાત્ર માણસને વિદ્યા પ્રાપ્ત થાય તે તે બીજાના દોષ વધુ જુએ છે.
આ માટે પરલક્ષી બની સ્વલક્ષી બનવાનું છે. આથી સત્ય પ્રતિ ગતિ થાય છે, અને સત્યની નજીક જેમ જેમ જવાય, તેમ તેમ પ્રભુની નજીક જવાય છે. સત્ય ને સદાચાર આપણને મુક્તિ પંથે લઈ જાય છે.
આ પ્રમાણે મંગળમય દષ્ટિથી શાંતિ, સ્વદોષદર્શન, સત્યવાદીપણું, સદાચાર પ્રાપ્ત થાય છે, આ માટે મુસીબત આવે તે પહેલાં તેની તૈયારી કરવાની છે. માણસ ઘડાઈને
For Private And Personal Use Only