________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોખમ નથી. જ્યારે સંસારનું પાણી મનરૂપી નાવમાં પ્રવેશ કરે છે ત્યારે સર્વનાશ સર્જાય છે. જીવનનું આ સત્ય છે તેને સમજવાનો આપણે પ્રયાસ કરીએ.
જીવનના ગહન વિષયો અંગે શાસ્ત્રકારોએ ઘણું ઘણું કહ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ કરીએ. આ માટે મનને ચિંતન સાથે જોડીને તેને જાગ્રત બનાવવું પડશે અને બુદ્ધિને સતેજ કરવી પડશે.
પરમપૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યમાં શાસ્ત્રોના ઊંડા અધ્યયનથી મને જે પ્રાપ્ત થયું છે, તેને પ્રવચનના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યો છું. આ પુસ્તક તેના ફળરૂપે છે. આ પુસ્તક કેવું છે તે હું વાચકો પર છોડી દઉં છું. જ્ઞાનઉપાસના એ તો વહેતી ગંગા છે. શક્તિ પ્રમાણે સૌ તેનો લાભ ઉઠાવી શકે છે.
- પાસાગર
For Private And Personal Use Only