________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ ૪ પ્રેમ
મારો આત્મા છે, તે જ આત્મા જગતના પ્રાણીઓમાં રહેલો છે. મને સુખ ગમે છે, અને દુઃખ ગમતું નથી. તેમ જગતના સર્વ પ્રાણીઓને સુખ ગમે છે.
ખરાબ કામ કરનારને વખોડી નથી નાંખવાનો, પણ પ્રેમથી તેને સુમાર્ગે વાળવાનો છે. આપણે કોઈવાર ખરાબ વાતાવરણમાં મૂકાઈ જઈએ છીએ, ત્યારે ન કરવાનું કરી બેસીએ છીએ. તેથી આપણા પાપને ધોનાર પ્રભુની વાણી અને સંતના આશીર્વાદ છે.
પ્રભુ પાસે તે વેશ્યા, ચેર, વ્યભિચારી, દારૂડિ આવે, પણ પ્રભુ તેનો તિરસ્કાર નથી કરતા, પણ પ્રભુ તેમને શુભ તત્ત્વોમાં પ્રેમથી જોડી દે છે, તેમને પલટાવી દે છે. પ્રભુ પાસે તે કરુણાનું ઝરણું વહ્યા જ કરતું હોય છે, તેથી આખું જગત સુખી બને, કર્મથી મુક્ત બને અને મોક્ષનાં અનંત સુખો મળી જાય તેના માટે જ સર્વ સાધના કરે છે.
For Private And Personal Use Only