________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ શરીર
દેવો અને નારકે ઉત્પન્ન થાય તે સ્થાન અચિત હોય છે, મનુષ્ય અને તિર્યંચનાં સ્થાન સચિત હોય છે. જેના પાંચ પ્રકારના શરીર છે : ઔદારિક, વૈકિય, આહારિક, તેજસ ને કાર્મણ. મનુષ્ય અને તિર્યંચના શરીર ઔદારિક છે, જેના વડે સુખદુઃખને અનુભવ કરી શકાય છે. દેવ અને નારકોને વૈકિય શરીર છે, જે પારાની માફક છૂટું પડે અને ભેગું થાય.
આહારક શરીર પુણ્યાત્મા ચૌદ પૂર્વ ધાને જ હોઈ શકે. સીમંધર સ્વામી પાસે જવું હોય તે આહારક શરીર કરીને અંતમુહૂર્તમાં પાછા આવી જાય છે. તૈજસ અને કાશ્મણ શરીર સંસારના દરેક જીવોને હોય છે. ઔદારિક કરતાં વૈકિય સૂક્ષ્મ અને વેકિય કરતાં આહારક સૂક્ષ્મ અને આહારક કરતાં તૈજસ અને કામણ સૂક્ષ્મ છે.
પહેલાં ત્રણ અસંખ્યાત છે, અને તેજસ અને કાર્પણ અનંતા પરમાણુના બનેલ છે. મૃત્યુ આવે ઔદારિક, વિક્રિય અને આહારક શરીરને છોડવા પડે છે. જ્યાં જીવ જાય ત્યાં તૈજસ અને કાર્મણ શરીર સાથે જાય છે.
For Private And Personal Use Only