________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ૪ ભોમિયો
આમા માટે ભેમિયાનું કામ કરનાર અને આત્માને તારનાર શ્રુતજ્ઞાન છે. સમ્યદૃષ્ટિ પાસે મિથ્યાત્વ આવી જાય તે અલૌકિક બની જાય છે, અને મિથ્યાત્વ પાસે જે આગમ આવે તે લૌકિક બની જાય છે. આનું કારણ અજ્ઞાન છે. દવા ઝેરી હોવા છતાં મર્યાદા પ્રમાણે લેવાથી રોગ મટાડે છે.
મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કારણ અને કાર્ય જૂદાં પાડી શકતાં નથી. મતિપૂર્વકનું જ્ઞાન બહિર્નાન છે.
જેના વડે સંસારને વ્યવહાર ચાલે છે તે મતિજ્ઞાન છે. મતિ એટલે સમજવું અને શ્રુત એટલે સાંભળવું.
ભગવાન મહાવીર સ્વામી બોલ્યા તે ગૌતમ સ્વામીએ સાંભળ્યું અને તેમાંથી આગ બનાવ્યા. વાણી શ્રુત બની ગઈ
વસ્તુની સમજણ મતિ છે, વસ્તુનું નામ એટલે બુત છે. પૂર્વભૂમિકા મતિજ્ઞાન છે અને ઉત્તરભૂમિકા શ્રુતજ્ઞાન છે.
For Private And Personal Use Only