________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જન ધર્મે કદી પણ જાતિભેદને મહત્તા આપી નથી. જૈન ધર્મે બધા આત્માને સમાન ગણ્યા છે. એ સમાનતામાં સાચો ધર્મ છે. માન્યતા પ્રમાણે નહીં, પણ ધર્મ પ્રમાણે જ જીવવાનું છે.
સંસારની અંદરની વિરૂપતાને ઢાંકવા માટે સંસારને બહારથી બહુ જ રમણીય બનાવવામાં આવ્યું છે.
જ્યારથી આપણે પ્રભુના માર્ગે જઈએ છીએ, ત્યારથી આપણા માટે સત્યયુગ છે, જ્યારે વિષય-કષાયના માર્ગે જઈએ છીએ, ત્યારે કલિયુગ છે,
ચારિત્ર્યની ઈટ અને જ્ઞાનને ચૂનો એક બીજાના જોડાણમાં જરુરનાં છે.
અગ્નિને તણખે રૂના ઢગલાને બાળી નાખે છે, તેમ દયાનની શક્તિ અનંત કર્મોને બાળી નાખે છે.
જગતમાં જન્મ બહુ ચંચળ છે, માત્ર મૃત્યુ જ અચંચળ છે.
૧૮૧
For Private And Personal Use Only