________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ ધન
ધન શાપરૂપ બનવું નહીં જોઈએ. જીવનની આરાધનાની અનુકૂળતા માટે જ પૈસો જરૂર છે. જે ધર્મ કરવામાં તે વિદન કરે તો તે પૈસો નકામો છે. જે સાધન પ્રતિકૂળતા કરે છે, તે જ સાધન જે વિચારીને વાપરવામાં આવે તે તે સાધન અનુકૂળ બની જાય છે.
વધેલે નખ ઉપાધિ કરે છે, તેમ વધેલ પૈસો પણ ઉપાધિને આમંત્રો છે. પૈસો જરુર પૂરતો જ રાખવો, બાકીનો દાનમાં વાપરી નાખવો જોઈએ; સમાજના લાભને અર્થે, ધર્મ અથે, સુપાત્ર અર્થે વાપરી નાખ જોઈએ. જેને ઉપર ઉચ્ચ સ્થાને જવું હોય તેને ધનને ધરતી ઉપર વાપરવું પડશે. અને જેને નીચે જવું હોય તે ધનને જમીનમાં દાટી દે છે.
જેમ સડાવોટરની બાટલીના બૂચ આગળ ગળી હોય છે, તે ગોળી કેડતી વખતે નીચે જાય છે, પછી જ સોડા બહાર આવી શકે છે, તેમ આપણે અંતરમાં અહંકારની ગેળી બેઠેલી છે, તે નીચે ન જાય ત્યાં સુધી સારૂં તત્ત્વ બહાર આવી શકતું નથી.
૧૭૨
For Private And Personal Use Only