________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ પ્રમાદ
સત્તા, પ્રસિદ્ધિ અને આયુષ્યને પાયે ધર્મ જ છે. ઝાડનાં પાંદડાં જોઈએ છીએ, પણ ઘણીવાર બીજાને ભૂલી જઈએ છીએ. ઘણી જ પુણ્ય પ્રકૃતિ અને આરાધનાના પ્રભાવે જ મનુષ્યભવ મળે છે. મનુષ્યભવ ખૂબ જ કિંમતી છે, પણ તેની કિંમત આપણને સમજાતી નથી. આપણે એક પળ પણ પ્રમાદમાં ન ગાળવી. પ્રમાદ ઉધઈ જેવો છે. એ આપણું આખું જીવન ખાઈ જાય છે. આયુષ્યને કોઈ એક ક્ષણ પણ વધારી શકતું નથી. દુનિયાની સંપત્તિ બદલામાં આપી દે તો પણ ગયેલી જિંદગી પાછી નથી મળતી.
માણસનું જીવન દુર્લભ છે, તે કઈ વિશિષ્ટ હેતુ માટે મળેલું છે. વિચાર કરવાની શક્તિ, વિચાર પછી કાર્ય સિદ્ધ કરવાની રીતિનીતિ ફક્ત માણસને મળી છે.
છે સંસારનું સુખ અશાશ્વત છે, કાચના જેવું છે છે સુખ છે, અને તે સુખ સહજ નથી, પણ આરેપિત T કરેલું સુખ છે; જ્યારે આત્માનું સુખ સાચું, છે છે સહજ અને નૈસગિક છે.
૧૭૧
For Private And Personal Use Only