________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૪ દુર્લભ
મનુષ્યજન્મ, શાસ્ત્રોનું શ્રવણ, શ્રદ્ધા અને ચારિત્ર–એ ચારે દુર્લભ છે. જ્ઞાની કહે છે કે પિસે કિંમતી છે, પણ તે મનુષ્યજન્મને લીધે જ છે.
પૈસા કરતાં પિસાને સમજનારની કિંમત વધારે છે. જગતમાં મોંઘામાં મેંઘો જન્મ મનુષ્યજન્મ છે. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીમાં કરડે વર્ષ વીતાવ્યાં પછી ઘણાં ઘણાં દુ:ખ સહન કર્યા પછી મનુષ્ય જન્મ મળે છે. આપણને મીઠાઈની કિંમત છે, પણ તેમાં કીડીઓ મરી જાય તેની કિંમત નથી.
આપણને તડકે ગમતો નથી, ઠંડક ને ગળપણ ગમે છે. તેમ કીડીને તડકો ગમતો નથી, પણ ઠંડક ને ગળપણ ગમે છે. ગળપણ હોય ત્યાં સંખ્યાબંધ કીડીઓ આવી જાય છે. રેતીમાંથી ખાંડના કણ કીડી શોધી શકે છે. માનવી કરતાં કીડીની ધ્રાણેદ્રિય વધારે સતેજ હોય છે. માનવી કરતાં વધારે દોડાદોડ કીડીઓ કરે છે એટલે કે કીડી અને માનવીમાં આત્મા સમાન છે.
૧૩૬
For Private And Personal Use Only