________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩ સુખદુ:ખ
સુખ આવે સમતા રાખવી, દુઃખ આવે શાંતિ રાખવી. સુખની અંદર દુઃખ રહેલ છે. દુઃખમાંથી સુખ આવે તો આનંદ થાય છે. સુખ અને દુઃખમાં સમભાવ રાખવાને છે. ગરીબીમાંથી અમીરી આવે ત્યારે સુખથી ફૂલાઈ જાય છે, અને અમીરીમાંથી ગરીબી આવે, ત્યારે માણસ આપઘાત કરવા તૈયાર થઈ જાય છે. કરેલાં કમ ભેગવવાનાં છે. તે જે દુઃખ આવે તેને શાંતિથી ભેગવવા તૈયારી કરવી.
ધર્મરાજા આનંદમાં બેઠા હતા. ત્યારે લોકો બહુ જ કિંમતી ભેટે લઈને આવ્યા, ત્યારે શ્રીકૃષ્ણ એક નાની વિટી આપી. તેમાં લખ્યું હતું : “આ દિવસો જવાના.” લેકે કૃષ્ણની નિંદા કરવા લાગ્યા કે કૃષ્ણ આવડી નાનકડી વીંટી ભેટમાં શું જોઈને આપી!
પણ તે વીટી જોતાં જ ધર્મરાજા ઊભા થઈ ગયા અને બોલ્યા કે “સૌથી મોટામાં મોટી ભેટ આજે મને શ્રીકૃષ્ણ આપી. બીજાને આ પક્ષપાત લાગે.
For Private And Personal Use Only