________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧ ૪ સત્સંગ
સત્સંગના સુવાસની ફેરમ સ્વને અને પરને સર્વને સુવાસિત બનાવે છે. સંગને રંગ ઘણો મટે છે. એક ભાઈ રોજ સંતની વાત કરે ત્યારે એક નાસ્તિકને તે વાત ન ગમી. પછી તે ભાઈએ એક દિવસ એક ડુંગળી અને એક વાટકીમાં ઘી લાવવાનું નાસ્તિકને કહ્યું. પછી ડુંગળી સમારી તો આંખમાંથી પાણી આવ્યું અને ઘીની વાડકી સામે જોયું તે આંખમાં ઠંડક આવી. આમ તેણે સમજાવ્યું કે સત્સંગ આત્માને શીતળતા આપે છે, જ્યારે દુર્જનનો સંગ આત્માને ઉતા આપે છે. સાધુ તે ચોમાસું પૂરું થતાં વાદળમાંથી સૂર્ય ચાલ્યો જાય, તેમ ચાલ્યા જાય છે. તેથી સત્સંગને લાભ મેળવનાર ઉદાસીન થઈ જાય છે. તે તે માટે સંસારનો પ્રેમ ઓછો કરવા દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે આત્માને લગાડી દે. આ ત્રણે આત્માને શીતળતા, શાંતિ, સ્વસ્થતા ને પ્રસન્નતા આપે છે અને આપણું ધ્યેય મોક્ષપ્રાપ્તિ છે, તેની વિચારણા સજાગ રાખે છે. સત્સંગી ગાળ દેનારની ઉપર દ્વેષ નથી.
૧૨૩
For Private And Personal Use Only