________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦ % વૈરાગ્ય
જિંદગીભર સંસાર માટે મહેનત કરીએ, તેની સેવા કરીએ, તો છેવટે ચેડાં આંસુ મળે છે, તેના કરતાં પ્રભુની થોડી સેવા કરી હોય તો મોક્ષ પાસે આવે છે. સ્થાલિભદ્રને મંત્રીપદ સ્વીકારવા માટે કહેવામાં આવે છે, તે તેમણે કહ્યું: “મારે તે કીચડમાં દટાઈ જવું નથી, પણ ત્યાગમાં તરી જવું છે, વૈરાગ્ય આવતાં જગત તૃણ સમાન લાગે છે. સંસારરૂપી અંગારાને ચુંબન કરવાથી બળતરા સિવાય શું મળે? સંસાર વિરકત માનવી ધ્યાન માંથી જ તાકાત મેળવે છે. લિભ પરતંત્રતા જોઈને સંસારને છોડો. છોડવું અને છોડી દેવું એ બને ભિન્ન છે. મન ઊઠી જવું એ બીજી વાત છે. મન ઉઠયું ન હોય પણ છોડવું પડે તેમ છે, તેથી છોડી દીધું હોય તો તેથી કાંઈ સધાતું નથી.
રસોઈ બનાવતાં કંકાશ થાય ને આપણે ખાવાનું છોડી દીધું. ખાવાનું છોડવું ન હતું, પણ કીધે ખાવાનું છોડાવ્યું. કેઈ સમજાવનાર મળે એટલે પાછું જમવાનું મન થઈ જાય છે. ગરીબી આવે, દુઃખ પડે ત્યારે મન
૧૨૧
For Private And Personal Use Only