________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪ ગુરુનું સાનિધ્ય
ન ગમતું અને ત્યારે કલેશ થાય છે, મનમાં ઉદ્વેગ થાય છે, અસ્વસ્થતા ને અસ્થિરતા જન્મે છે. તે દૂર કરવા ગુરુના સાનિધ્યમાં જવાનું છે.
પણ કેટલાક પિતાનું અહિત જોઈ શકતા નથી. પિતે માની લીધેલ ભલે તે દુઃખ હાય, વિનાશગર્તા હોય તોય તેમાં આનંદ માણે છે કે જીવનને વેડફી અંત પિતે લાવે છે.
માખી લીંટ પર બેસે છે, અને તેમાં ચોંટીને પોતાનું જીવન સમાપ્ત કરી નાખે છે. વ્યક્તિ નહીં, પણ કામ આપણને અધોગતિએ લઈ જાય છે, અને કામમાં જીવ ભૂલે પડી જાય છે ને અટવાઈ જાય છે. કામને રાગ ઓછો કરવા સ્ત્રીઓ અને પુરૂષોએ એકબીજાને સંસર્ગ જેમ બને તેમ ટાળવાને છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કામના રંગમાં લપેટાઈ જતાં આગળ ભણી શકતા નથી. કામી માણસ પિતાની સ્ત્રીને અને પોતાનાં બાળકોને વિચાર કરી શકતો નથી. જે માણસ કામને લીંટ માને
૧૧૯
For Private And Personal Use Only