________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
વિદ્યારે તેની પરીક્ષા અનેક રીતે કરી, પણ પુણિયે શ્રાવક ચલાયમાન ન થા. આકરી કસોટી પછી સુવર્ણ સમાન શુદ્ધ ને સાત્વિક સાબિત થશે.
ધર્મ બહુ જ આકરો છે, તે આંસુ પડાવે છે અને અંતરને શુદ્ધ કરી ઉપર લઈ જાય છે. અંતરના સામ્રાજ્ય પર જય પ્રાપ્ત કરનાર અનંતને સ્વામી બની જાય છે.
દારિદ્યમાં ડું પણ દાન અતિ પુણ્ય ઉપાન કરે છે. પુણિયાનું પુણ્ય શાસનમાં પંકાયેલું છે છે. શાલિભદ્ર પૂર્વના ભવમાં (ભરવાડના ભવમાં) ખૂબ જ પ્રેમથી સાધુને ખીર વહોરાવી અને પ્રચંડ પુણ્ય ઉપાર્જન કર્યું. પૂર્વ ભવમાં પાંચ કોડીના ફૂલડાંની પૂજાથી કુમારપાળે અઢાર દેશનું પુણ્ય ઉપાર્જન કર્યું.
પૈસો પિતાને માટે વાપરવા તે ભાગ છે. પરંતુ તે બીજાને માટે વાપરે તે ત્યાગ છે.
૧૧૮
For Private And Personal Use Only