________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩ ૪ પ્રમાદ
જીવનમાં જે પ્રમાદ છે, તે હિંસા છે. જે માણસ અપ્રમત્ત છે, જાગૃત છે તે કોઈ દિવસ હિંસા કરતો નથી. કદાચ અજાણતાં હિંસા થઈ જાય તો તે તેને પારાવાર દુઃખ થાય છે.
ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને વારંવાર કહે છે કે ગૌતમ, એક સમયનો પણ તું પ્રમાદ કરીશ નહીં. પ્રમાદરૂપી ઘેન પિતાના આત્માને અને સમાગમમાં આવનારને નાશ કરે છે. દુનિયાના પાપોની, દુનિયાની ખરાબીની શરુઆત પ્રમાદમાંથી થાય છે. ધર્મ કરનાર આત્મા માટે જાગૃતિની જરૂર છે.
આપણે પાંચ તિથિ લીલોતરી નથી ખાતા, એટલે હિંસા નથી કરતાં એમ ન સમજવું. પાંચ તિથિ જેવા શબ્દો પણ ન બોલવા જોઈએ. શબ્દોથી કોઈનું જીવન કડવું બની જાય છે.
- હિંસા એ બહારની સ્કૂલ વસ્તુ છે, પ્રમાદ એ આત્માની વસ્તુ છે. પ્રમાદ થાય છે, ત્યારે હિંસા થાય છે.
૧૧૦
For Private And Personal Use Only